કુલપતિ માટે 10 વર્ષનો પ્રાધ્યાપકનો અનુભવ જરૂરી છે: ડૉ. ચોવટિયાની સહપ્રધ્યાપક તરીકે ભરતી થઇ હતી
ડૉ. ચોવટિયાની પ્રધ્યાપક તરીકેની નિમણુંક જ ખોટી હોય તેમનો અનુભવ કુલપતિ માટે માન્ય ગણાય નહીં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ.વી.પી. ચોવટિયાની નિમણુંકને લઇ વિવાદ થયો છે. ડૉ. વી.પી. ચોવટિયા સામે અનેક રજુઆતો હોવા છતા તેમની નિમણુંક કરી દેવામાં આવી છે.આ અંગે કોર્ટ અને એસીબીમાં રજુઆત પણ કરવામાં આવી છે.આ અંગે જૂનાગઢનાં વિરલ જોટવાએ જણાવ્યું હતું કે,કૃષિ મંત્રી અને કૃષિ સચિવ અને અન્ય જવાબદારો સામે પ્રિવેન્શન ઓફ એન્ટી કરપ્શન એકટ હેઠળ ગુનો દાખલ કરવા રજુઆત કરી હતી. તેમજ ડૉ. ચોવટિયાને વર્ષ 2005માં સીધી ભરતીથી પ્રાધ્યાપકમાં નિમણુંક કરવામાં આવી હતી. પ્રાધ્યાપકની નિમણુંક માટે જે તે સમયે સહપ્રાધ્યાપક તરીકેની સીધી ભરતીનો ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ ફરજીયાત હતો. ડૉ. ચોવટિયાની નજર અંદાજ કરી તેમને ગેરકાયદેસર રીતે પ્રાધ્યાપક તરીકે નિમણુંક થયેલી. નિયમોને નજર અંદાજ કરી તેમને ગેરકાયદેસર રીતે પ્રાધ્યાપક તરીકે નિમણુંક આપવામાં આવેલ છે. આ અંગે સ્પષ્ટતા કરવાની કે, ડૉ. ચોવટિયાને સહપ્રાધ્યાપકનું જ ઉચ્ચતર પગાર ધોરણ મળેલ હતું. હોદો નહી અને જે તે સમયનાં ભરતીના અન્ય નિમય મુજબ સીધી ભરતીનો સહપ્રાધ્યાપક તરીકેનો અનુભવ પ્રાધ્યાપક થવા માટે અતિઆવશ્યક હતો. તેમ છતાં તેમને ડિસેમ્બર 2005માં ખોટી રીતે પ્રાધ્યાપક તરીકે નિમણુંક આપવામાં આવેલી. આ અંગેની ખરાઇ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તેમજ તેને સંલગ્ન તમામ દસ્તાવેજી પુરાવાઓ મેળવી ચકાસણી કરતા ખાતરી થશે કે ડૉ.ચોવટિયા સહપ્રાધ્યાપકમાં સીધી ભરતીથી નિમણુંક કયારેય પામેલ જ નથી. યુનિવર્સિટીનાં સ્ટે. મુજબ કુલપતિ થવા માટે પ્રાધ્યાપક તરીકેનો ઓછામાં ઓછા 10 વર્ષનો અનુભવ જરૂરી છે. ડૉ. ચોવટિયાની પ્રાધ્યાપક તરીકેની નિમણુંક જ ખોટી હોય તેમનો અનુભવ કુલપતિ થવા માટે માન્ય ગણાય નહી.
કુલપતિ તરીકે ડૉ.વી.પી.ચોવટિયાની નિમણુંકમાં કોનો હાથ ?
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ તરીકે ડૉ. વી.પી. ચોવટિયાની કાયમી નિમણુંક કરવામાં આવી છે.તેને લઇ વિવાદ થયો છે. ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંકમાં કોનો હાથ છે ? તે પણ સવાલ ઉભો થયો છે. ડૉ. ચોવટિયાને લઇ ઉચ્ચકક્ષા સુધી રજુઆતો થઇ છે. પરંતુ હજુ સુધી કોઇ નકકર પગલા લેવામાં આવ્યા નથી અને ઉપરથી યુનિવર્સિટીનાં કાયમી કુલપતિ બનાવી દેવામાં આવ્યાં છે.
ડૉ. ચોવટિયાએ પ્રાધ્યાપક તરીકે સીસીસી પણ પાસ કરી ન હોવાનાં આક્ષેપ
વિરલ જોટવાએ જણાવ્યું હતું કે, ડૉ. ચોવટિયા પ્રાધ્યાપક તરીકેની સીધી ભરતીથી નિમણુંક થયેલ હોય તેઓએ સરકારનાં નિયમો મુજબ સીસીસી પ્લસ પરીક્ષા પાસ કરવી ફરજીયાત હોઇ છે. પરંતુ ડૉ. વી.પી. ચોવટિયાએ સીસીસી પ્લસ પરીક્ષા પાસ કરેલ નથી. સીસીસી પ્લસ પરીક્ષામાં ડૉ. વી.પી. ચોવટિયાને કુલ 48 માકર્સ આવેલ છે, માટે તેની પ્રાધ્યાપક તરીકેની સેવા નિયમતિ કરી શકાય નહી.