ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાતાની ભૂમી વીર સપુતોની ભુમી છે. અંગ્રેજોની ગુલામીમાંથી આપણી માતૃભૂમીને આઝાદી આપવામાં કોઈપણ સમાજ પાછળ રહી ગયો નથી. દરેક સમાજે ખંભે ખંભો મેળવીને આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપ્યું છે. તેમાનું જ એક નામ છે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જન નાયક ‘બિરસામુંડા’. તેમણે આદિવાસીના હક માટે અંગ્રેજો સામે લડત ચલાવી હતી. ઉપરાંત અંગ્રેજોના જુલ્મો સામે લડ્યા હતા. 9 મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ગઈકાલે મોરબી જિલ્લાના ટંકારા ગામે વીર બિરસામુંડાની યાદમાં એક રેલી કાઢીને આદિવાસી દિવસની ધુમ ધામથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધી બધાએ આ રેલીમાં જોડાઈને પોતાના સમાજના હક માટે લડનાર એ વીર બિરસામુંડાને યાદ કરીને તેને નમન કર્યા હતા અને રેલીમાં નાના બાળકોના હાથમાં ધનુષ બાણ જોઈને લોકોએ વીર એકલવ્યને પણ યાદ કર્યા હતા.
ટંકારા ખાતે વીર બિરસામુંડાની યાદમાં રેલી કાઢીને ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી
