રાહદારી અને વાહન ચાલકોને અકસ્માતનો ભય: મનપા તંત્રનું મૌન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ ચોમાસાની સીઝનમાં શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે.અને શહેરના રાજમાર્ગો પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા હોવાના દર્શ્યો હવે આમ થઇ ગયા છે.ત્યારે જૂનાગઢ મહાનગર પાલિકાનું તંત્ર મૌન સેવી રહ્યું છે.શું મનપા તંત્ર કોઈ અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું છે. શહેરમાં અનેક એવા બનાવો જોવા મળ્યા છે કે, રખડતા ઢોરના લીધે રાહદારીઓ અને વાહન ચાલકોને હડફેટે લીધા હોવના બનાવો સામે આવ્યા છે.
- Advertisement -
શહેરમાં ચોમાસાની ઋતુમાં મચ્છર અને જંતુઓનો ઉપદ્રવ વધતા રખડતા ઢોર રસ્તા ઉપર બેસી જાય છે.જેના લીધે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી ઉભી થાય છે.અને ટ્રાફિક સમસ્યા પણ જોવા મળે છે.બીજી તરફ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય જોવા મળે છે.હાઇકોર્ટની ફટકાર બાદ પણ તંત્ર દ્વારા આવા આખડતા ઢોરને પકડીને પાંજરાપોળ મુકવામાં નથી આવતા અને જેના પશુ હોઈ તેની સામે કડક હાથે કામગીરી નથી કરવામાં આવતી કેહવા ખાતર ઢોરનો ત્રાસ વધે ત્યારે કામગીરી શરુ કરીને ફરી બંધ કરી દેવામાં આવે છે.થોડોજ વરસાદ પડે અને રખડતા ઢોર રસ્તા પર આવી જાય છે.અને લોકો પરેશાન થાય છે ક્યારે મનપા તંત્ર જાગશે અને ક્યારે રસ્તા પરના ઢોર હટાવીને પાંજરાપોળમાં મુકવા જશે.