ફાયર બ્રિગેડે ક્રેઇનની મદદથી કારને બહાર કાઢી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ શહેરના મારૂતિનગર, ખામધ્રોળ પર રહેતા ઇશ્ર્વરદાસ વિષ્ણુદાસ નિમાવત (ઉ.વ.35) તેમની કાર લઇ બપોરના સમયે નવા બાયપાસ રોડ પરથી વંથલી તરફ જતા હતા. તેવામાં વધાવી નજીક અચાનક જ તેમણે કાર પરથી કાબુ ગુમાવતા ગાડી બેકાબુ બની ગઇ હતી. વધાવી નજીક હાઇ-વે પરથી ગાડી બેકાબુ થઇ હાઇ-વેની નીચે આવલા હરીયાવન ડેમમાં ઘુસી ગઇ હતી. હરીયાવન ડેમમાં ઉપરના ભાગે પાણી અને નીચે કાદવ હોવાથી ગાડી કાદવમાં ખૂંચી ગઇ હતી.
- Advertisement -
રાહદારીઓ તથા નજીકમાં આવેલ હોટલ સંચાલકો અને સ્થાનિકોએ ઘટનાને નજરે જોયા બાદ તૂરંત જ પોલીસ, 108ને જાણ કરી હતી બાદમાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી હતી. પરંતુ ગાડી કાદવમાં ખૂંચી ગઇ હોવાથી તેને બહાર કાઢવી મુશ્કેલ હતી.
જયારે અકસ્માત થયો ત્યારે ગાડીમાં કેટલા લોકો સવાર હતા તે અંગેની કોઇ પણ જાણ હતી નહીં. ગાડી બહાર નિકળ્યા બાદ જ તેમાં એક જ વ્યક્તિ સવાર હોવાનું સામે આવ્યુ છે. ગાડી બહાર નીકળી ગયા બાદ પણ અન્ય લોકો વ્યક્તિ કારમાંથી નીકળી ડેમમાં ડુબી ગયુ છે કે કેમ ? તે અંગેની જાણ ફાયર અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પરંતુ અન્ય કોઇ વ્યક્તિ નહી હોવાનું સામે આવ્યુ હતુ. આ સમગ્ર મામલે સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે, કાર પાણીમાં ડુબી ગઇ ત્યારે કારમાં કેટલા લોકોહતા તેને લઇ મોટી ચિંતા હતી. પોલીસે પ્રાથમિક તપાસ દરમિયાન જણાવ્યુ હતુ કે, મૃતક ઇશ્ર્વરદાસ નિમાવન આર્યુવેદીક દવાના ધંધા સાથે સંકળાયેલાછે અને તેમને પરિવારમાં એક પુત્ર, પત્ની અને તેમની માતા સાથે મારૂતીનગરમાં રહે છે પોલીસે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.