IPL 2024 ના ક્વોલિફાયર 1 માં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું હતું, આ હાર બાદ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ શું નિવેદન આપ્યું.. ચાલો એ જાણીએ.
IPL 2024 ના ક્વોલિફાયર 1 માં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે કોલકાતા ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. હૈદરાબાદની ટીમ હવે ક્વોલિફાયર 2 ની મેચ રમશે. KKR સામેની હાર બાદ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ શું નિવેદન આપ્યું.. ચાલો એ જાણીએ.
પેટ કમિન્સે મેચ પછી કહ્યું કે “હા, અમે આ હારને ઝડપથી પાછળ છોડવાનો પ્રયાસ કરીશું, સારી વાત એ છે કે અમે બીજા ક્વોલિફાયરમાં સફળતા હાંસલ કરીશું. ટી-20 ક્રિકેટમાં તમારી પાસે આવા દિવસો હોય છે જ્યારે આપણે બધા જે વસ્તુઓ ઇચ્છતા હોય તે રીતે કામ ન થતું હોય. અમે બેટિંગથી જે લક્ષ્ય સુધી પહોંચવા માગતા હતા તે સુધી પહોંચી શક્યા ન હતા. જો બોલિંગની વાત કરીએ તો તે પણ એટલું સારું નહોતું. કોલકાતાની ટીમે શાનદાર બોલિંગ કરી અને શરૂઆતના સમયગાળામાં એમને વિકેટ પણ સારી મળવા લાગી હતી.