દેશની રાજધાની દિલ્હીમાં પ્રદુષણ સતત વધી રહ્યું છે. પ્રદુષણના કારણે દિલ્હીની હવા ફરીથી ગંભીર શ્રેણીમાં પહોંચી ગઇ છે. સીપીસીબીના જણાવ્યા અનુસાર, આજે સવારે રાજધાનીના કેટલાય વિસ્તારોમાં એકયૂઆઇ 400ની પાર પહોંચી ગયો હતો. જહાંગીરપુરીમાં 468, બવાનામાં 466, આનંદ વિબારમાં 450, અશોક વિહારમાં 441, દ્વારકા સેક્ટરમાં 439, બુરાડીમાં 427, આઇજીઆઇ એરપોર્ટ પર 423, આઇટીઓ પર 388, આા નગરમાં 383 એકયૂઆઇ નોંધવામાં આવ્યો છે.
ગઇકાલના રોજ દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં પ્રદુષણનો સૂચકઆંક 400ની પાર પહોંચી ગયો છે. જ્યારે, દિલ્હી-એનસીઆરમાં ફરીદાવાદ અવે દિલ્હી 415 એકયૂઆઇની સાથે સૌથી વધારે પ્રદુષિત રહ્યું છે. જે 25 અંક વધારે છે. જયારે શુક્રવારના ગાઝીયાબાદમાં પ્રદુષણનો સૂચકઆંક 401, ગ્રેટર નોયડામાં 365, ગુરૂગ્રામમાં 335, અને નોઇડામાં 367 એકયૂઆઇ નોંધવામાં આવ્યો છે. સોમવાર સુધીમાં દિલ્હીને પ્રદુષણથી કોઇ રાહત મળવાના આશાર નથી. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો, પરંતુ તેનાથી કોઇ રાહત મળી નથી.
- Advertisement -
#WATCH | A layer of haze continues to engulf Delhi in the morning.
(Drone visuals from the DND (Delhi Noida Direct) Flyway shot at 8:15 am ) pic.twitter.com/DW6qfkQ4xd
— ANI (@ANI) November 25, 2023
- Advertisement -
વિશેષજ્ઞોનું માનીએ તો પાડોસી રાજ્યોમાં પરાલી જલાવવા તેમજ સ્થાનીક કારણોની સાથે વાતાવરણની દશા પ્રતિકુળ બનતી જાય છે. હવાની ગતિ પણ ઓછી થઇ ગઇ છે. જયારે, ભેજવાળી હવાના કારણે પ્રદુષણના કણ ફેલાઇ રહ્યા નથી. જેનું કારણ છે કે, સતત આકાશમાં ધુમ્મસ છવાયેલી રહે છે.