ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપ ભારત પર લગાવ્યા પછી કેનેડા અને ભારતના સંબંધો નાજુક સમયમાં પહોંચી ગયા હતા. ભારતે કડક પગલા લેતા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડ્રો નરમ પડયા હતા. ટ્રુડોએ જણાવ્યું કે, કેનેડા ભારતની સાથે પોતોના ગાઢ સંબંધો બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ જણાવ્યું કે, વિશ્વસનીય આરોપો પછી પણ ભારત સરકાર છેલ્લે જૂનમાં બ્રિટિશ કોલંબિયામાં શિખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હતા. કેનેડા પણ ભારતની સાથે ગાઢ સંબંધો બનાવવા માટે કટિબધ્ધ છે. મોન્ટડ્રિયલમાં એક સંવાદદાતા સંમેલ્લનમાં ટ્રૂડોએ જણાવ્યું કે, તેમને લાગે છે કે આ એક મહત્વપૂર્ણ બાબત છે. કેનેડા અને તેના સહયોગીઓ વૈશ્વિક મંચ પર ભારતના વધતા મહત્વને જોતાં તેમની સાથે રચનાત્મક અને ગંભીરતાથી જોડાયેલા રહેશે.
- Advertisement -
ભારત એક વધતી અર્થવ્યવસ્થા છે- જસ્ટિન ટ્રૂડો
ભારત એક ઝડપથી વધતી આર્થિક શક્તિ અને મહત્વપૂર્મ ભૂ-રાજનૈતિક તાકાત છે. અને જેમ અમે ગયા વર્ષ પણ પોતાની ઇન્ડો-પૈસિફિક રણનીતિ રજુ કરી હતી. અમે ભારતની સાથે ગાઢ સંબંધ બનાવવાને લઇને ઘણા ગંભીર છીએ, જયારે કાયદાના શાસક દેશના રૂપમાં, અમે આ વાત પર વધુ જરૂરિયાત છે કે, ભારતને આ સુનિશ્ચિત કરવું જોઇએ કે કેનેડાની સાથે કામ કરવાને જરૂરિયાત છે કે જો કે આ કેસને પૂર્ણ સત્ય મળે.
ટ્રુડોને લાગ્યો ઝટકો
આ વચ્ચે નિજ્જરની મોતની પાછળ ભારતનો હાથ બતાવનાર કેનેડાઇ પીએમને અમેરિકા તરફથી ઝટકો લાગ્યો છે. જો કે, ટ્રુડોને આશા હતી કે, અમેરિકી વિદેશ મંત્રી એટની બ્લિંકન તેના સમકક્ષ એસ જયશંકર સાથેની મુલાકાત સમયે નિજ્જરની હત્યાના મુદાને પણ ઉઠાવશે. પરંતુ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરની મુલાકાતને લઇને અમેરિકાએ જે નિવેદન આપ્યું હતું, તેમાં નિજ્જર અને કેનેડાનો ઉલ્લેખ નહોતો.