ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી.(SPV) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ હેઠળ કુલ 80 રૂટ પર 100 CNG તથા 124 ઇલેક્ટ્રિક એમ, કુલ 224 બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે.
- Advertisement -
આ બાબતે વધુમાં જણાવવાનું કે, નાગરિકોને સીટી બસ તેમજ ઇછઝજ બસ સેવા ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ વાહન જોખમકારક રીતે કે અકસ્માત સર્જે તે રીતે ચાલતું જણાય અથવા નિયમભંગ કરતું જણાય તો કોલ સેન્ટર નંબર 155304 પર આ અંગેની ફરિયાદ નોંધાવી શકાશે તેમજ આ બાબતે જાણકારી અંગેના સ્ટીકર તમામ બસમાં અંદર તેમજ બહારની તરફ લોકો વાંચી શકે તે રીતે લગાવવામાં આવશે.