યુ.પી.થી આવેલા 25થી વધુ કારીગરો દિવસ-રાત કામે લાગી સૌથી ઉંચા પૂતળાઓનું નિર્માણકાર્ય કરી રહયાં છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વિજયાદશમીનું પર્વ એટલે આશુરી શક્તિનો નાશ અને દેવી શક્તિનો વિજય વિશ્ર્વ હિન્દુ પરિષદ – બજરંગદળ – દુર્ગાવાહીની દ્વારા રાજકોટ મહાનગરમાં વર્ષોથી રાક્ષ્ાસદહન સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આગામી તા.1ર/10 ને શનિવારના રોજ રેસકોર્ષ મેદાનમાં સાંજે 7-00 કલાકે રાક્ષ્ાસોના અલગ-અલગ ત્રણ પુતળાઓનું દહન કરાશે. ઉપરાંત ખાસ તૈયાર કરવામાં આવેલ મંડપમાં શસ્ત્રોને સજાવીને રાખવામાં આવશે. જયાં આપણી હિન્દુ સંસ્કૃતિમાં જેનું ખૂબ જ મહત્વ રહેલુ છે. કેમ કે શાસ્ત્ર સાથે શસ્ત્ર પણ એટલા જ જરૂરી છે તેવું આપણો ઈતિહાસ કહે છે. હિન્દુ સમાજમાં તમામ દેવી-દેવતાઓના હાથમાં કોઈને કોઈ શસ્ત્ર ધારણ કરેલું હોય છે. માટે કોઈની હિંસા કે હાની કરવા માટે નહિ પણ જયારે ધર્મ, સમાજ, સંસ્કૃતિ કે પોતાના પરિવાર કે વ્યક્તિગત આક્રમણોથી પોતાનો સ્વબચાવ કરવા માટે પણ શસ્ત્રો જરૂરી છે. શસ્ત્રોનું મહત્વ આપણી આવનારી પેઢી એટલે કે નાના બાળકો આ મહત્વને સમજે અને તેનું માન-સન્માન કરે તેવા હેતુથી આ પંડલામાં રાખેલા શસ્ત્રોની પુજા કરવામાટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
હિન્દુ સંસ્કૃતિમાં વિજયાદશમીનું મહત્વ જોઈએ તો દિવાળીએ ભારતની વિશ્ર્વ કલ્યાણકારી સનાતન સંસ્કૃતિનો દિપ પ્રગટે તે પૂર્વે અશુરી નકારાત્મક શક્તિના નાશ માટે વિજયાદશમીના દિવસે રાક્ષ્ાસ દહન તથા શસ્ત્ર પૂજન કરી વિજયાદશમીની ઉજવણી કરવાનું વિશેષ મહત્વ રહેલ છે. દર વર્ષે વિ.હિ.પ. – બજરંગદળ – દુર્ગાવાહીનીના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવે છે. હાલમાં યુ.પી. થી ખાસ આવેલા આ કામના અનુભવી અને એક્ષ્ાપર્ટ કારીગરો ારા દશેરાના દિવસે જેનુ દહન થવાનું છે તેવા 3 પુતળાઓ નું પ્રથમ ફ્રેમ સ્ટ્રકચર તૈયાર થઈ રહયું છે, ખૂબ જ કુશળતા માંગી લેનાર આ કાર્ય માટે ખાસ રપ થી વધુ કારીગરોને ઘણા દિવસો અગાઉથી પૂર્વ તૈયારીઓ કરી રહયાં છે અને વિ.હિ.પ. દ્વારા પણ વર્ષોથી આ કારીગરોની સેવા લેવામાં આવે છે. સ્ટ્રકચર બની ગયા બાદ તેને પૂર્ણ સ્વરૂપ આપવામાં આવશે. તુરંત સળગી ઉઠે તેવી સામગ્રીના ઉપયોગથી બધા જ પૂતળાઓ બનાવવામાં આવે છે. જેમા ખાસ કરીને લાકડાના વાસ તથા કાપડ તથા રંગીન કાગળનો ઉપયોગ કરવામાં આવે છે અને હાથ બનાવટથી સમગ્ર સ્ટ્રકચર ઉભુ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સમસ્ત હિન્દુ સમાજના લોકો સહભાગી થાય તે માટે વિ.હિ.પ. રાજકોટના શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, નિતેશભાઈ કથીરીયા, વિનુભાઈ ટીલાવત, કૃણાલભાઈ વ્યાસ, વનરાજભાઈ ગેરૈયા, સુશીલભાઈ પાંભર, યોગેશભાઈ ચોટલીયા, મનોજભાઈ ડોડીયા, રાહુલભાઈ જાની, હર્ષિતભાઈ ભાડજા, આલાપભાઈ બારાઈ, દિપકભાઈ ગમઢા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. તેવુ વિ.હિ.પ. પ્રેસ મીડીયા ઈન્ચાર્જ પારસભાઈ શેઠની યાદીમાં જણાવાયું છે.