કેન્યામાં એક પ્રવાસી બસ અકસ્માતમાં પાંચ કેરળવાસીઓના મોત થયાના અહેવાલ છે. લોકા કેરળ સભા અને નોરકા રૂટ્સના સહયોગથી ઘાયલો અને મૃતકોને નૈરોબીની હોસ્પિટલોમાં ખસેડવાના પ્રયાસો ચાલુ છે.
કતારથી બસમાં 28 ભારતીય પ્રવાસીઓ સવાર હતા, ઘણા ઘાયલ
- Advertisement -
નૈરોબીની નાકુરુ અને આગા ખાન હોસ્પિટલોમાં ઘાયલોની સારવાર
સહાય અને માહિતી માટે આપવામાં આવેલા હેલ્પ ડેસ્ક નંબરો
પૂર્વ આફ્રિકામાં આવેલા કેન્યામાં ભારતીય પ્રવાસીઓની બસને ભયંકર અકસ્માત થયો હતો. તેમાં 5 લોકોના મોત થયા અને અનેક ઘાયલ થયા હતા. નૈરોબીથી 150 કિ.મી. દૂર ન્યારૂરૂ નજીક આ અકસ્માત સર્જાયો હતો. આ બસમાં કુલ 28 ભારતીય પર્યટકો મુસાફરી કરી રહ્યા હતા જે કતારથી કેન્યાની મુલાકાતે આવ્યા હતા. દુર્ઘટનામાં અનેક યાત્રીઓ ઈજાગ્રસ્ત પણ છે. રાહત અને બચાવ કાર્યમાં લોકા કેરળ સભા અને નોરકા રૂટ્સ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
ન્યારૂરૂમાં હાલમાં ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે. તેમને જલદી જ સાજા થયા બાદ નૈરોબી મોકલવામાં આવશે. આ મામલે કતારમાં સંચાલિત ભારતીય એમ્બેસીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, 28 ભારતીયોને લઇ જતી બસને કેન્યામાં અકસ્માત નડ્યો હતો અને તેમાં 5 ભારતીયોના મોત નીપજ્યાં છે. નૈરોબીના અધિકારીઓ સતત અમારા સંપર્કમાં છે. આ સાથે એમ્બેસીએ કોઈપણ પ્રકારની મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો હતો.
- Advertisement -




