જસપ્રિત બુમરાહની પીઠની ઈજાનું મૂલ્યાંકન ન્યુઝીલેન્ડના ડો. રોવાન સ્કાઉટ કરશે : પસંદગીકારો બુમરાહની જગ્યાએ રાણાને લઈ શકે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહની ફિટનેસ પર ટીમનું ધ્યાન કેન્દ્રિત છે, તે બહાર આવ્યું છે કે તેની પીઠની ઇજાનું મૂલ્યાંકન ન્યુઝીલેન્ડમાં ઓર્થોપેડિક સર્જન ડો. રોવાન શાઉટેન દ્વારા કરવામાં આવશે, તેનાં અહેવાલ અને પ્રતિસાદના આધારે જ બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે કે નહિ તે નક્કી થશે. ભારતીય ક્રિકેટ બોર્ડ પહેલેથી જ બેકઅપની યોજના બનાવી રહ્યું છે કારણ કે બુમરાહ આવતાં મહિને યોજાનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે સમયસર ફિટ થશે કે નહીં તેની ચોક્કસ જાણકારી સામે આવી નથી. બુમરાહને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો હતો અને 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે માટે તેને ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ તેની ફિટનેસને લઈને કોઈ મોટી આશાઓ હજુ સુધી જોવા મળી નથી.ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં ફેરફાર 11 ફેબ્રુઆરી સુધી થઈ શકે છે. પસંદગીકારોએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે વનડે માટે હર્ષિત રાણાનું નામ પહેલેથી જ નક્કી કર્યું છે. જો બુમરાહ સીટી માટે ફિટ થવામાં નિષ્ફળ જાય તો તેઓ રાણા સાથે ચાલું રાખે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાણા અને અનુભવી મોહમ્મદ સિરાજ વચ્ચે આવી સ્થિતિમાં ફરી સ્પર્ધા થઈ શકે છે.બીસીસીઆઈના અધિકારીએ જણાવ્યું હતું કે, અમારી મેડિકલ ટીમ ન્યૂઝીલેન્ડમાં શાઉટેનના સંપર્કમાં છે. બોર્ડે બુમરાહની ન્યુઝીલેન્ડની મુલાકાતનું પણ આયોજન કર્યું હતું.
- Advertisement -
પરંતુ હજુ સુધી એવું થયું નથી. પસંદગીકારો જાણે છે કે જો બુમરાહ આપેલ સમયરેખામાં 100 ટકા ફિટ થઈ જાય તો તે એક ચમત્કાર હશે.બુમરાહ 2022 માં ટી-20 વર્લ્ડ કપ ચૂકી ગયો તે પછી શાઉટેને તેનું ઓપરેશન કર્યું હતું. તેણે આ મહિનાનાં પહેલાં અઠવાડિયામાં સિડની ટેસ્ટની બીજી ઇનિંગમાં જ્યારે તેની પીઠમાં ઈજા થઈ તેથી તે મેદાનમાં ઉતર્યો ન હતો.બુમરાહ અને બાકીનાં ફાસ્ટ બોલરો કે, જેમણે ટેસ્ટ સિઝન દરમિયાન સૌથી વધુ ટેસ્ટ મેચ રમ્યાં હતાં તેમને ત્રણ અઠવાડિયાની ઑફલોડિંગ પ્રક્રિયા લેવાની સલાહ આપવામાં આવી હતી. ઑફલોડિંગ પ્રક્રિયા ખેલાડીને કોઈ પણ સખત શારીરિક પ્રવૃત્તિ ન કરવા માટે આદેશ આપે છે.જેમાં મૂળભૂત ફિટનેસ તાલીમનો પણ સમાવેશ થાય છે. બીસીસીઆઈની મેડિકલ ટીમે ગયાં અઠવાડિયે સમાપ્ત થયેલી ઑફલોડિંગ પ્રક્રિયા પછી બુમરાહની સ્થિતિનું મૂલ્યાંકન કરવાનું હતું અને તે અહેવાલ ન્યુઝીલેન્ડમાં ડોક્ટર સાથે શેર કરવાનો હતો.બુમરાહને ન્યુઝીલેન્ડ મોકલવો એ ફીડબેક પર નિર્ભર રહેશે. બોર્ડ અને બુમરાહ પોતે લાંબા સમયથી તેનાં મહત્વને જોતાં તેનાં પર સખત દબાણ કરવા તૈયાર નથી.સુત્રએ કહ્યું કે “પસંદગીકારોને ત્યારે જ જાણ કરવામાં આવશે જો તે 100 ટકા ફિટ હશે અને મેદાનમાં ઉતરવા માટે તૈયાર હશે. પસંદગીકારોએ તેનાં માટે બેકઅપ પ્લાન તૈયાર રાખવો પડશે. જો બુમરાહ 100 ટકા ફિટ થશે તો તે એક ચમત્કાર હશે.