યુકેમાં 1000 કેદીઓની બીજી બેચને વહેલાં મુક્ત કરવામાં આવ્યાં હતાં કારણ કે સરકાર જેલોમાં ભીડ ઘટાડવા માંગે છે. આ વિવાદાસ્પદ નીતિમાં અગાઉ ગયાં મહિનાની શરૂઆતમાં 1700 કેદીઓને મુક્ત કરવામાં આવ્યાં હતાં.
જસ્ટિસ સેક્રેટરી શબાના મહમૂદે વચન આપ્યું હતું કે અગાઉની ભૂલો જેનાં કારણે 37 અયોગ્ય કેદીઓને ભૂલથી મુક્ત કરવામાં આવ્યાં હતાં. હવે તેમની સાથે સમાધાન કરવામાં આવ્યું છે. ખતરનાક અપરાધીઓને કેદ કરવા માટે જેલની જગ્યા ઉપલબ્ધ છે તેની ખાતરી કરવા માટે કેટલાક દોષિત ગુનેગારો માટે આકરી બિન-કસ્ટોડિયલ સજાનાં વિકલ્પો પર વિચારણા કરવામાં આવશે.
- Advertisement -
અમુક અપરાધીઓને નજરકેદ તેમજ હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યાં છે. આ મુક્ત કરાયેલાં અપરાધીઓમાં કેટલાક અહિંસક અપરાધીઓ જોવા મળ્યાં છે જેમણે કેટલીક શરતોનું પાલન કર્યું હતું. સામાન્ય 50 ટકાને બદલે 40 ટકા નજરકેદ અને હાઉસ એરેસ્ટની સજા સરખી રીતે ભોગવી રહ્યાં છે. પૂર્વ ન્યાય સચિવ ડેવિડ ગૌકેએ જણાવ્યું હતું કે જેલની વસ્તી હાલમાં લગભગ 89000 છે અને દર વર્ષે 4500 નવાં કેદીઓ દ્વારા વધી રહી છે અને કસ્ટડીમાં સજા પામેલાં લોકોમાંથી 90 જુના અપરાધી છે. મહમૂદે જણાવ્યું હતું કે છેલ્લી ક્ધઝર્વેટિવ સરકારમાં જેલ કટોકટીના કારણે સરકાર પર કેદીઓને મુકત કરવાની ફરજ પાડવામાં આવી હતી.
તેણીએ જણાવ્યું હતું કે જુલાઈની શરૂઆતમાં સત્તા જીત્યાં પછી નવી સરકારમાં જેલ પ્રણાલી પતનની એટલી નજીક હતી કે તેમાં કાયદો અને વ્યવસ્થાના ભંગાણ ગમે ત્યારે થઈ શકતાં હતાં. જેથી જેલની વ્યવસ્થા જાળવી રાખવા અને જેલની ઇમરજન્સી ટાળવા માટે કેદીઓને વહેલાં મુક્ત કરવામાં આવ્યાં છે.