રાજકોટ અગ્નિકાંડમાં ઘીના ઠામમાં ઘી: આનંદ પટેલ અને અમિત અરોરાને ક્લિનચીટ, કોઈ વાંક જ નહી હોવાનો અહેવાલ રજૂ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.30
- Advertisement -
રાજકોટના અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ ઘટનાના દેશભરમાં ભારે પ્રત્યાઘાત પડ્યા પછી હાઇકોર્ટે ત્રણ સભ્યોની સત્ય શોધક સમિતિ બનાવી હતી. આ સમિતિએ આજે હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કરીને રાજકોટના બે પૂર્વ મ્યુ. કમિશનર આનંદ પટેલ અને અમિત અરોરાને ક્લિનચીટ આપી દીધી છે. અગ્નિકાંડની દુર્ઘટના પછી સરકારે મોટે ઉપાડે સત્ય શોધક સમિતિ રચી હતી.
જો કે આ પ્રકારની સમિતિઓનો ઈતિહાસ રહ્યો છે કે, તેઓ ‘ઘીના ઠામમાં ઘી’ ઢોળી દેવા જ રચાતી હોય છે, એવું પીડિતો અનુભવી રહ્યા છે. આ રિપોર્ટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છે કે, વર્ષો પહેલાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની સત્તા ટીપી શાખાને અપાઈ હતી, જેથી આ બંને મ્યુનિસિપલ કમિશનરોની કોઈ ભૂમિકા આવતી નથી. આ રિપોર્ટમાં બર્થ ડે પાર્ટી સેલિબ્રેટ કરવા ગયેલા અન્ય ચાર અધિકારીને પણ ક્લિનચીટ આપવામાં આવી છે.