પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદમાં તરલાઈ વિસ્તારમાં ઈમામ બારગાહ ખદિજત ઉલ કુબરામાં બોમ્બ બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. સૂચના મળતા જ પોલીસ અને રેસ્ક્યૂની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આ બ્લાસ્ટમાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હોવાની આશંકા છે.
બોમ્બ બ્લાસ્ટ બાદ સમગ્ર શહેરમાં ઈમરજન્સી લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઘટનાસ્થળની આસપાસનો વિસ્તાર કોર્ડન કરી તપાસ શરૂ કરવામાં આવી છે. હજુ સુધી બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી. ઈજાગ્રસ્તોનો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
- Advertisement -
ઈસ્લામાબાદની વિવિધ મોટી હોસ્પિટલોમાં પણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.




