દુર્ઘટનામાં જીવતા બચેલા વિશ્વાસના ભાઈ અજયનો મૃતદેહ પણ દીવ પહોચ્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
દીવ ના પટેલ વાડી મા રહેતા વિશ્વાસ રમેશ જે છેલ્લા 20 વર્ષથી પોર્ટુગલમાં રહે છે. બંને ભાઈઓ અહીંયા કામથી આવ્યા હતા અને આ દુર્ઘટનામાં અજયનું મૃત્યુ થયુ.દીવના પટેલ વાડી વિસ્તારમાં રહેતા વિશ્વાસ રમેશ ના પરિવાર મા એક તરફ એક દીકરો બચી ગયો તેની ખુશી અને બીજી તરફ એક દીકરાએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો તેનુ દુ:ખ.. અજય નો પાર્થિવ દેહ ઘરે પહોંચતા પરિવારમાં વલોપાતના દ્રશ્યો સર્જાયા હતા. વિશ્વાસે ભારે હૃદય સાથે પોતાના ભાઈને કાંધ આપી. અને સ્મશાન જવાની જીદ કરી. પરંતુ હાલ વિશ્વાસ હજી પુરી રીતે સ્વસ્થ ન હોવાથી પરિવારે તેને સ્મશાને જાતા રોક્યો હતો.