ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, આ વર્ષે 14 લાખ 28 હજાર 175 વિદ્યાર્થીઓની પરીક્ષા આપશે
ગુજરાતમાં આજથી બોર્ડની પરીક્ષા શરૂ થશે.મહત્વનું છે કે, આજથી શરૂ થનાર પરીક્ષાથી ધોરણ 10 અને 12ના 14 લાખ 28 હજાર 175 વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે. આ વર્ષે ધોરણ 10માં 8 લાખ 92 હજાર 882 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 23 હજાર 909 વિદ્યાર્થીઓ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 11 હજાર 384 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. મહત્વનું છે કે, ગુજરાતના 16 હજાર 661 કેન્દ્રમાં પરીક્ષાનું આયોજન કરાયું છે.
- Advertisement -
રાજ્યમાં આજથી શરૂ થનાર બોર્ડની પરીક્ષાને લઈ બોર્ડ દ્વારા 68 ફ્લાઈંગ સ્કવૉડ મુકવામાં આવી છે. વિગતો મુજબ રાજ્યની 5 હજાર 222 સ્કૂલમાં પરીક્ષા લેવાશે. આ તરફ પરીક્ષા માટે 80 હજારથી વધુ અધિકારી-કર્મચારીનો સ્ટાફ કાર્યરત છે. આ વર્ષે 14 લાખ 28 હજાર 175 વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. રાજ્યમાં 16 હજાર 661 પરીક્ષા કેન્દ્ર પર રાજ્યની 5 હજાર 222 સ્કૂલમાં પરીક્ષા યોજનાર છે.
ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ
આજથી રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થશે. આજથી ધોરણ 10 અને ધોરણ 12ના 14 લાખ 28 હજાર 175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બિગતો મુજબ ધોરણ 10માં 8 લાખ 92 હજાર 882 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4 લાખ 23 હજાર 909 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સાયન્સમાં 1 લાખ 11 હજાર 384 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા માટે વિવિધ જિલ્લાના કુલ 87 ઝોનમાં પરીક્ષા આપશે. નોંધનિય છે કે, ગુજરાતના 16 હજાર 661 કેન્દ્રોમાં પરીક્ષાનુ આયોજન કરાયું છે.
- Advertisement -
શિક્ષણમંત્રીએ પાઠવી શુભકામનાઓ
આજથી ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને શુભકામન પાઠવી છે. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, પરીક્ષામાં સંપૂર્ણ ધ્યાન આપજો અને પરિણામની ચિંતા કર્યા વગર લખજો. આ સાથે તેમણે કહ્યું કે, પરીક્ષાને ટેન્શન તરીકે ન જોવી જોઇએ પરંતુ તેની એક ઉત્સવની જેમ ઉજવણી કરવી જોઇએ.
આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં ધોરણ-10 (SSC)માં 7,62,495 નિયમિત વિદ્યાર્થીઓ તેમજ 82,132 રીપિટર વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3,64,859 રેગ્યુલર વિદ્યાર્થીઓ અને 22,652 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,00,813 રેગ્યુલર વિદ્યાર્થીઓ તેમજ 10,476 રીપીટર વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ રીતે કુલ 12,28,167 રેગ્યુલર અને 1,15,260 રીપીટર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
સ્ટેટ કંટ્રોલરૂમ કાર્યરત
ગુજરાત બોર્ડ દ્વારા સ્ટેટ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જે 24 કલાક સેવા આપશે. આ ઉપરાંત અધિકારી સ્ટાફ સિવાય કોઇને પણ શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષા શરૂ થવાની 15 મિનિટ પહેલાં જ સીસીટીવી કેમેરાની હાજરીમાં જ સીલ ખોલવામાં આવશે. ત્યાર બાદ તમામ કેન્દ્ર પર એટલે કે, તમામ સ્કૂલોમાં જે વિષયની બોર્ડની પરીક્ષા હોય તે વિષય શિક્ષકને ફરજમાંથી મુક્તિ આપવાની રહેશે. ગેરરીતિ રોકવા માટે દરેક વિદ્યાર્થીએ પ્રશ્નપત્ર પર ફરજિયાત પણ બેઠક ક્રમાંક લખવાનો રહેશે. જો તેમ નહીં કરવામાં આવ્યું હોય તો ખંડ નિરીક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે.