ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી સુરતની બેઠક પરથી બિનહરીફ વિજેતા થયેલા ભાજપના સાંસદ મુકેશ દલાલની મુશ્કેલી વધી છે. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરવામાં કરેલી ક્ષતિઓને કારણે તેમનું ફોર્મ રદ થયું હતું.
- Advertisement -
ત્યારબાદ અપક્ષના તેમજ અન્ય રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવારોએ પણ પોતાનો ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેમાં મુકેશ બદલાલને બિનહરીફ જાહેર કરી દેવાતા કોંગ્રેસના કલ્પેશ બારોટે હાઇકોર્ટ દાદ માંગી હતી. આ પિટિશન ઉપર હાઇકોર્ટ મુકેશ દલાલને સમન્સ પાઠવાયું છે.
લોકસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થઇ ગયા બાદ કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારો દ્વારા જે સિગ્નેચર કરવામાં આવી હતી. તે ખોટી હોવાનું પુરવાર કરવામાં આવ્યું હતૂં. ચૂંટણી અધિકારી દ્વારા આ બાબતે વાંધો ઉભો કરતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. કોંગ્રેસ તરફથી પિટિશન કરનાર કલ્પેશ બારોટે જણાવ્યું કે, કોંગ્રેસના કાર્યકર્તા તો અમે પછી પરંતુ પહેલા સુરત લોકસભા બેઠકના મતદાર છીએ. ભાજપે કાવતરૂ રચીને લાખો મતદારોનને તેમના મુળભુત અધિકારથી વંચિત રાખ્યા છે.
લોકશાહીને ખત્મ કરવાનું વિચારતા ભાજપના નેતાઓની સામે અમે લડાઇ લડી રહ્યા છે. મુકેશ દલાલ હમણા ભલે એવું કહેતા હોય કે મને સમન્સ મળ્યું નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટીની આદત રહી છે કે જુઠુ બોલવું. જોરથી બોલવું અને જાહેરમાં બોલવું. કોર્ટમાં આજે નહીં તો હાલે હાજર થવું જ પડશે. કાનુની પ્રક્રિયાનો સામનો પણ કરવો જ પડશે. જો અમને ન્યાય નહીં મે તો અમે સુપ્રિમ કોર્ટ સુધી પણ લડીશું.



