ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત બાદ થયેલાં સર્વેના તારણો
ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાં જ ABP C-Voter, Times Now, Navbharat Times, ETG અને સ્થાનિક ન્યુઝ ચેનલ Zee 24 Kalak દ્વારા ઓપીનીયન પોલ જાહેર કરાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય ચૂંટણી કમિશને ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીની ઘોષણા કરી દીધી હતી. આ ઘોષણા બાદ રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ પડી ગઈ છે. દર વખતની જેમ આ વખતે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોણ જીતશે તેની શક્યતા દર્શાવતા ઓપીનીયન પોલ જાહેર થઇ ગયા છે.આમ તો ગુજરાતમાં પહેલાં ચરણનું મતદાન થાય તેમાં હજી લગભગ 25 દિવસ બાકી છે પરંતુ આ પ્રકારના ઓપીનીયન પોલ મતદાન કઈ દિશામાં થશે તેનો નિર્દેશ જરૂર કરે છે. ગઈકાલે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાં જ અઇઙ ઈ-ટજ્ઞયિિં, ઝશળયત ગજ્ઞૂ ગફદબવફફિિં ઝશળયત ઊઝૠ અને સ્થાનિક ન્યુઝ ચેનલ ણયય 24 ઊંફહફસ દ્વારા ઓપીનીયન પોલ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ ત્રણેય ઓપીનીયન પોલ અનુસાર ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સતત છઠ્ઠી વખત સરકાર બનાવવા જઈ રહી છે અને એ પણ વિશાળ બહુમતી સાથે.
ગત મહીને કરેલા આકલન અનુસાર આ વખતે ગુજરાતમાં ભાજપને 120થી ઓછી બેઠકો મળે તેવી શક્યતાઓ ખુબ ઓછી છે. છેલ્લા લગભગ ત્રણ દાયકાથી ગુજરાતમાં યોગ્ય વિપક્ષની ઉણપ હોવાથી આ વખતે ભાજપનો આંકડો 150 સુધી પહોંચે તો પણ આશ્ચર્યજનક નહીં હોય તેમ એ આકલનમાં જણાવવામાં આવ્યું હતું.
45% ઝી 24 કલાકના સર્વેમાં હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને 45% લોકોએ રાજ્યના અગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતાં.
- Advertisement -
23.63% ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને આ સરવે અનુસાર 23.63% લોકો મુખ્યમંત્રી તરીકે જોવા છે
ABP C-Voter
ભાજપને ગુજરાતમાં 45.4% મત મળશે જે 2017નાં 49.1% કરતાં 3.7% ઓછા છે. જ્યારે કોંગ્રેસને 29.1% મત મળશે જે ગત વિધાનસભા ચૂંટણી કરતાં 12.4% જેટલાં ઓછા હશે. આ ઓપીનીયન પોલ પ્રમાણે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં જો સહુથી વધુ ફાયદો થશે તો તે આમ આદમી પાર્ટીને થશે જે તેના આકલન અનુસાર ગુજરાતમાં 20.2% જેટલો વોટ શેર લઇ જશે. હવે જો આ મતદાનની ટકાવારીને બેઠકોમાં પરિવર્તિત કરવામાં આવે તો અઇઙ ઈ-ટજ્ઞયિિં કહે છે કે આ ચૂંટણીમાં ભાજપને 135 બેઠકો મળશે જે 2017ની 99 બેઠકો કરતાં 36 વધુ હશે. કોંગ્રેસને ગત ચૂંટણીમાં 77 બેઠકો મળી હતી પરંતુ આ વખતે તેને એ સંખ્યાની અડધાથી પણ ઓછી એટલેકે 35 બેઠકોથી જ સંતોષ માનવો પડશે. જ્યારે આમ આદમી પાર્ટીને 11 બેઠકો મળશે અને અન્યો અને અપક્ષોને 1 બેઠક મળી શકે છે જે 2017 કરતાં 5 ઓછી હશે.
Navbharat Times
પોલમાં કયા પક્ષને કેટલા મત મળશે તેમજ કયા પક્ષને કેટલી બેઠકો મળશે તેનો ખુલાસ કરવામાં આવ્યો છે પોલ અનુસાર ભાજપને 45% વોટ શેર સાથે 125 થી 130 બેઠકો, કોંગ્રેસને 21% મત સાથે 25 થી 33 બેઠકો, આમ આદમી પાર્ટીને 29% વોટ સાથે 20 થી 24 બેઠકો અને અન્ય તેમજ અપક્ષોને 5% મત સાથે 2 થી 4 બેઠકો મળી શકે છે.
Zee 24 Kalak
સતત બે મહિના ચાલેલા આ સર્વેમાં 2 લાખ લોકોએ ભાગ લીધો હતો. આ સરવેના તારણ અનુસાર ગુજરાતમાં ભાજપને 49.5% મત મળવા જઈ રહ્યાં છે જે તેને 124 થી 139 બેઠકો આપશે. કોંગ્રેસને 35.30% મત મળશે જે તેને 42 થી 51 બેઠકો મેળવી આપશે જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 8.9% મતથી જ સંતોષ માનવો પડશે જેના કારણે તેને વધુમાં વધુ 3 બેઠકો મળી શકે તેમ છે.
ઑપ ઇન્ડિયાના સૌજન્યથી