ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢ ભાજપ અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયાની સુચનાથી મહાનગર મહિલા મોરચાનાં અધ્યક્ષ જ્યોતીબેન વાડોલીયાનાં માર્ગદર્શન હેઠળ સૈનિકોનાં હોસલાને વધારવા તથા આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સંપૂર્ણ દેખરેખ હેઠળ ઓપરેશન સિંદુરમાં જે સફળતા પ્રાપ્ત કરી તથા ભારતીય સેનાના શૌર્યને બિરદાવા માટે બહેનોએ લાલ સાડી તથા ડ્રેસ પહેરીને શહીદ પાર્કથી ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા કાળવા ચોક સુધીની સિંદુર યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા મોરચાનાં મહામંત્રી શીતલબેન તન્ના, ભાવનાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલવીબેન ઠાકર, આદ્યશક્તિબેન મજમુદાર, ગીતાબેન પરમાર, કનકબેન વ્યાસ, યોગેશ્વરીબા જાડેજા, મનિષાબેન વૈશ્નાણી, વંદનાબેન દોશી, ગીતાબેન મહેતા, સુનિતાબેન સેવક, શારદાબેન કોટડીયા, કૈલાસબેન વેગડા, ભાવનાબેન માળી, જીજ્ઞાબેન દેસાઈ, પૂજાબેન કારીયા, પ્રવિણાબેન વાઘેલા વિવિધ મહિલા મંડળના અગ્રણીઓ સખી મંડળના બહેનો મહિલા કોર્પોરેટર અને વિવિધ સંસ્થાઓમાંથી અનેક આગેવાન બહેનો ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.



