સરકાર બનાવવા સોનિયા ગાંધીનો માસ્ટર પ્લાન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
લોકસભા ચૂંટણીના પરિણામો ખૂબ જ રસપ્રદ બની રહ્યા છે. અત્યાર સુધીના વલણોમાં ભાજપ બહુમતીથી ભારે દૂર હોવાનું દેખાઈ રહ્યું છે. આ સ્થિતિમાં સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે. અહેવાલો પ્રમાણે સોનિયા ગાંધીના નજીકના કોંગી નેતાઓ કે.સી. વેણુગોપલ JDUના સાથી પક્ષના નેતાઓનો સંપર્ક કરી લીધો છે. આ નેતાઓમાં ઉંઉઞના નીતિશ કુમાર અને JDUના એન.ચંદ્રાબાબુ નાયડુ પણ સામેલ છે. એવું કહેવાય છે કે, ટીડીપીને I.N.D.I. ગઠબંધનમાં સામેલ કરવા વેણુગોપાલે ચંદ્રાબાબુના પુત્ર લોકેશ નાયડુ સાથે પણ વાત કરી છે. અત્યાર સુધીના વલણો પ્રમાણે ભાજપને 242 અને એનડીએને કુલ 300 જેટલી બેઠક મળી રહી છે.
આ સ્થિતિમાં આગામી સરકાર રચવામાં ગઠબંધનના સાથી પક્ષોની ભૂમિકા અત્યંત મહત્ત્વની સાબિત થશે. બિહારની 40 લોકસભા બેઠક પૈકી 15 પર જેડીયુ જીત તરફ છે, તો ભાજપને 12 અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ને પાંચ બેઠક મળી શકે છે. એવી જ રીતે, આંધ્ર પ્રદેશની 25 લોકસભા બેઠક પૈકી 16 પર ટીડીપી જીત તરફ છે, જ્યારે વાયએસઆરપીને ચાર બેઠક અને ભાજપને ત્રણ બેઠક મળી શકે એમ છે. છ રાષ્ટ્રીય પક્ષો પૈકીના એક બહુજન સમાજ પાર્ટી (બીએસપી)એ સૌથી વધુ 488 ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. ત્યારબાદ ભાજપે 441, કોંગ્રેસે 328, સીપીઆઇ(એમ)એ 52 જ્યારે આમ આદમી પાર્ટીએ 22 ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. રાજ્ય કક્ષાના પક્ષોની વાત કરવામાં આવે તો સમાજવાદી પાર્ટીએ 71, તૃણમૂલે 48 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. એઆઇએડીએમકેએ 36, સીપીઆઇએ 30, વાયએસઆરસીપીએ 25, રાજદએ 24 અને ડીએમકેએ 22 ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. બિનસત્તાવાર પક્ષોની વાત કરવામાં આવે તો સોશિયલ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કોમ્યુનિસ્ટ) એ 150, પીપલ્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (ડેમોક્રેટિક)એ 79 ઉમેદવારો ઉભા રાખ્યા હતાં.