નીતિશ કુમાર રેકોર્ડ 10મી મુદત માટે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે, જ્યારે ભાજપે પુષ્ટિ કરી છે કે સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા ડેપ્યુટી સીએમ તરીકે ચાલુ રહેશે.
નીતિશ કુમાર ફરી એકવાર જેડીયુના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. હવે મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર 10મી વખત બિહારની બાગડોર સંભાળશે. જ્યારે બીજી બાજુ ભાજપની પટણામાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં બે નાયબ મુખ્યમંત્રી તરીકે પણ ભાજપ નેતા સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાના નામને ફરી એકવાર મંજૂરી આપી દેવાઈ છે. હવે નીતિશ કુમાર બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાની મળીને રાજીનામું સોંપશે અને વિધાનસભાનો ભંગ કરાશે. હવે બિહારમાં નવા મંત્રીમંડળની રચના થશે, જે 20 નવેમ્બરે શપથ લેશે. આ મુદ્દે NDAનો મેરેથોન બેઠકોનો દોર ચાલુ છે અને મંત્રીમંડળની વહેંચણીની ચર્ચા ચાલી રહી છે.
- Advertisement -
બિહારના બંને નાયબ મુખ્યમંત્રી ભાજપ નેતા
ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સમ્રાટ ચૌધરીને પક્ષના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે, તો વિજય સિંહાની નાયબ નેતા તરીકે પસંદગી કરાઈ છે. હવે બિહારમાં ફરી બંને ભાજપ નેતા નાયબ મુખ્યમંત્રી તરીકેની ભૂમિકામાં હશે.
શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદી હાજરી આપશે
- Advertisement -
હવે નીતિશ કુમાર બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને મળીને રાજીનામું સોંપશે અને વિધાનસભાનો ભંગ કરાશે. હવે બિહારમાં નવા મંત્રીમંડળની રચના થશે, જે 20 નવેમ્બરે સવારે 11:30 વાગ્યે શપથ લેશે. આ મુદ્દે NDAનો મેરેથોન બેઠકોનો દોર ચાલુ છે અને મંત્રીમંડળની વહેંચણીની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, બિહારમાં નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપી શકે છે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી પણ હાજરી આપે તેવું નક્કી મનાઈ રહ્યું છે.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં જેડીયુની 85 બેઠક પર જીત
આ સાથે જ નીતિશ કુમાર બિહારના સૌથી લાંબો સમય સુધી રહેનારા મુખ્યમંત્રી બની જશે. આ વખતે 10મી વખત તેમનો કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે. બિહાર વિધાનસભાની 243 બેઠક પરની ચૂંટણીમાં જેડીયુએ 85 બેઠક પર જીત હાંસલ કરી હતી. એનડીએની કુલ 202 બેઠક પર જીત થઈ છે, જે બહુમતી માટે પૂરતી છે.
નાયબ મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીની પસંદગીનું કારણ
ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપના નેતા તરીકે સમ્રાટ ચૌધરી, તો નાયબ નેતા તરીકે વિજય સિંહાની પસંદગી કરાઈ છે. સમ્રાટ ચૌધરી ભાજપ માટે ઓબીસી વર્ગનો મજબૂત ચહેરો છે. તેઓ તારાપુરમાંથી ત્રણ વાર ચૂંટાયેલા ધારાસભ્ય છે. સમ્રાટ ચૌધરીનો પરિવાર બિહારના રાજકારણમાં મજબૂત પ્રભાવ ધરાવે છે. તેમના પિતા શાકુની ચૌધરી પણ તારાપુરથી સાત વાર ચૂંટાયા હતા અને માતા પાર્વતી દેવી પણ એકવાર વિધાનસભામાં ચૂંટાયા હતાં.
સમ્રાટ ચૌધરીએ વર્ષ 2000માં આરજેડીમાં જોડાઈને રાજકારણમાં સત્તાવાર પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી 2014માં તેઓ જેડીયુમાં જોડાઈને મંત્રી બન્યા. 2017માં તેઓ ભાજપમાં જોડાયા અને 2024માં નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદ થયા.
નાયબ મુખ્યમંત્રી તરીકે વિજય સિંહાની પસંદગીનું કારણ
વિજય કુમાર સિંહા બિહાર ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ લખીસરાય મત વિસ્તારમાંથી ચોથી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પહેલીવાર તેઓ 2005માં ચૂંટણી જીત્યા હતા. એ જ વર્ષે તેઓ એક ચૂંટણીમાં હાર્યા હતા, પરંતુ 2010 પછી તેઓ સતત આ બેઠક પરથી જીત્યા છે. વર્ષ 2017થી 2020 સુધી તેઓ શ્રમ મંત્રી રહ્યા હત, તો 2020થી 2022 સુધી તેમણે બિહાર વિધાનસભાના સ્પીકર તરીકે ફરજ બજાવી હતી. 20222થી 2024 સુધી તેઓ વિપક્ષના નેતા અને 2024માં નાયબ મુખ્યમંત્રી પણ રહ્યા હતા. બિહાર સરકારમાં તેઓ પોલીસ, પ્રવાસન, વીજળી અને સિંચાઈ જેવા મહત્ત્વના વિભાગોના મંત્રી રહી ચૂક્યા છે.




