બિહારની રાજધાની પટણા નજીક દાનાપુરમાં ગંગા નદીમાં યાત્રીઓથી ભરેલી નાવ પલટી જતા અનેક યાત્રીઓ લાપતા થયા છે. રવિવારે દાનાપુરમાં 55 યાત્રીઓને લઈને જઈ રહેલી એક નાવ ગંગા નદીમાં ડુબી ગઈ હતી. નાવ પર લગભગ 55 લોકો સવાર હતા. જેમાંથી 50 લોકો તરીને બહાર નીકળી ગયા હતા, બાકી પાંચ લોકો હજુ લાપતા છે. લાપતા લોકોની તલાશ થઈ રહી છે.
દાનાપુરના એસડીએમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 10 લોકો લાપતા થયાની માહિતી મળી છે અને તેમને શોધવાનું અભિયાન શરૂ કરાયું છે. નાવ પર સવાર લોકો દાઉદપુરના રહેવાસી છે.
- Advertisement -
નાવથી મવેશિયા માટે ઘાસ લઇને જઇ રહ્યા હતા લોકો
મળેલા સમાચાર મુજબ, નાવમાં ક્ષમતાથી વધારે લોકો સવાર હતા, જે પોતાના મવેશઇયાઓ માટે ઘાસનો ચારો લઇ જઇ રહ્યા હતા. નાવ પલટી જવાના કારણે બધો ઘાસચારો નદીમાં તરવા લાગ્યો હતો, જેને પકડીને લોકોએ પોતાની જાન બચાવી હતી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો ઘસને પકડીને નદીમાંથી બહાર નીકળી રહ્યા હોય તેવું જોવા મળે છે.