રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફની સલાહ પર સંસદના નીચલા ગૃહ, નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું
પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગઇકાલે એટલે કે, 9 ઓગસ્ટને બુધવારે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફની સલાહ પર સંસદના નીચલા ગૃહ, નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું. આ સાથે દેશમાં સામાન્ય ચૂંટણી યોજવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ નિર્ણય રાત્રે લેવામાં આવ્યો હતો.
- Advertisement -
એક અહેવાલ મુજબ નીચલા ગૃહને વિસર્જન કરવા માટે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, બંધારણની કલમ 58 હેઠળ નેશનલ એસેમ્બલીને ભંગ કરી દેવામાં આવી છે. PM શાહબાઝ શરીફે રાષ્ટ્રપતિને પત્ર લખીને નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ભલામણ કરી હતી.
નેશનલ એસેમ્બલીને વિસર્જન કરવાનો પત્ર
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર વધુ બે દિવસ સત્તામાં રહી શકી હોત અને 11 ઓગસ્ટના રોજ સંસદને વિસર્જન કરવા માંગતી હતી. જોકે જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને રાષ્ટ્રપતિ આરિફ અલ્વી નીચલા ગૃહને વિસર્જન કરવા માટે તરત જ સૂચના જાહેર કરવાનો ઇનકાર કરી શકે છે.
એક ખાનગી ન્યૂઝના અહેવાલ મુજબ વડાપ્રધાન શેહબાઝે બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ અલ્વીને નેશનલ એસેમ્બલીનું વિસર્જન કરવા માટે પત્ર મોકલ્યો હતો જે ઔપચારિક રીતે કાર્યપાલક વડાપ્રધાનની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરશે.
- Advertisement -
સંસદના વિસર્જનમાં વિલંબ થઈ શકે
સંસદના નીચલા ગૃહનો કાર્યકાળ પૂરો થવાના ત્રણ દિવસ પહેલા વડાપ્રધાન શાહબાઝે તેને વિસર્જન કરવાની સલાહ રાષ્ટ્રપતિ અલ્વીને મોકલી છે. રાષ્ટ્રપતિ અલ્વી નેશનલ એસેમ્બલીને ભંગ કરવા માટે તરત જ નોટિફિકેશન બહાર પાડી શકે છે અથવા તેને 48 કલાક માટે વિલંબિત કરી શકે છે.
પાકિસ્તાનમાં થશે હવે અણધાર્યું ?
આ તરફ નેશનલ એસેમ્બલીના અકાળ વિસર્જનના કિસ્સામાં પાકિસ્તાનનું ચૂંટણી પંચ 90 દિવસની અંદર ચૂંટણી યોજશે. જો નેશનલ એસેમ્બલીએ તેની બંધારણીય મુદત પૂરી કરી હોત તો 60 દિવસમાં ચૂંટણી યોજાઈ હોત. પરંતુ હવે સ્થિતિ અલગ બની શકે છે.