ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પસંદગીની શક્યતા સેવાઇ રહી છે.
ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ઇલાબેન ભટ્ટ કે જેઓનું રાજીનામું આખરે સ્વીકારાયું છે. ઉલ્લેખનીય છે કે, ઇલાબેન ભટ્ટે અગાઉ બીમારીના કારણે રાજીનામું આપ્યું હતું. જો કે અગાઉ આપેલા રાજીનામાંને સ્વીકારાયું ન હતું. પરંતુ અંતે ઇલાબેન ભટ્ટનું રાજીનામું સ્વીકારી લેવાયું છે. ત્યારે હવે ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની વરણીની શક્યતા રહેલી છે. એટલે કે ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પસંદગી કરાશે.
- Advertisement -
ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની વરણી થઇ શકે
તમને જણાવી દઇએ કે, ગૂજરાત વિદ્યાપીઠના બંધારણ મુજબ કુલનાયકની ઉપર કુલપતિ હોય છે પરંતુ કુલપતિ એ રાજ્યપાલ નથી હોતા. પરંતુ વિદ્યાપીઠના જ ટ્રસ્ટી મંડળ દ્વારા સામાજીક ક્ષેત્રના અગ્રણી અને ગાંધીવાદી હોય તેવા વ્યક્તિને કુલપતિ બનાવવામાં આવે છે. વિદ્યાપીઠના 100 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કુલપતિ તરીકે ગાંધીવાદી જ આવ્યા છે ત્યારે હાલના કુલપતિ એવા ડૉ. ઈલાબહેન ભટ્ટ કે જેઓ પણ ગાંધીવાદી છે. તેઓએ થોડા સમય પહેલા રાજીનામું આપી દીધું હતું. પરંતુ તેને સ્વીકારવામા ન હતું આવ્યું. જો કે મળતી માહિતી મુજબ તેઓનું રાજીનામું હવે સ્વીકારી લેવાતા હવે ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની વરણી થઇ શકે છે.
મહત્વનું છે કે, છેલ્લે કુલનાયક તરીકે ડૉ. અનામિક શાહની ટર્મ પૂરી થયા બાદ નવા કુલનાયક પદે ડૉ. રાજેન્દ્ર ખિમાણીની વરણીથી ચાલતા છેલ્લા ઘણા સમયના વિવાદ બાદ ગૂજરાત વિદ્યાપીઠમાં હવે એક મોટું પરિવર્તન થવા જઇ રહ્યું છે.
- Advertisement -
વિદ્યાપીઠને યુજીસીના નિર્ણય મુજબ અમલ કરવા HCએ આપ્યો છે આદેશ
ઉલ્લેખનીય છે કે, નવા કુલનાયક માટે બનાવાયેલી સર્ચ કમિટી એ UGCના નિયમો મુજબ ન હોવાથી યુજીસીને ફરિયાદ કરાઇ હતી. ત્યાર બાદ યુજીસીએ કેન્દ્ર સરકારના પ્રતિનિધિ સાથેની નવી સર્ચ કમિટી બનાવવાનો આદેશ કર્યો હતો. ત્યાર બાદ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા નવી સર્ચ કમિટી તો બનાવાઈ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે જીટીયુના કુલપતિને પણ મુકવામાં આવ્યા. પરંતુ કેન્દ્ર સરકારના પ્રતિનિધિની ડૉ. ખિમાણીના કુલનાયક પદ માટે સહમતિ ન હોવા છતાં પણ નવા કુલનાયક તરીકે ડૉ. રાજેન્દ્ર ખિમાણીની વરણી થઈ હતી. આથી UGCએ રચેલી કમિટીની ભલામણો મુજબ વિદ્યાપીઠની સમગ્ર પ્રક્રિયાને ખોટી ઠેરવતા ગત નવે.માં ડૉ. ખિમાણીને દૂર કરવા વિદ્યાપીઠને આદેશ કર્યો હતો. જેની સામે ડૉ. રાજેન્દ્ર ખિમાણીએ કરેલા પીટિશનના કેસમાં પણ તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે તેઓની પીટિશન ફગાવી દીધી હતી અને યુજીસીના નિર્ણય મુજબ વિદ્યાપીઠને બે મહિનામાં અમલ કરવા આદેશ કર્યો હતો.