ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના અનુસાર ગુમ થયેલા મોબાઇલો મુળ માલીકને પરત મળે તેવી સુચના અપાતા ભવનાથ તળેટી વિસ્તારમાં ફરવા આવતા અનેક યાત્રીકોના મોબાઇલ ગુમ થયાની જાણ ભવનાથ પોલીસને કરવામાં આવી હતી. તે અનવયે ભવનાથ પોલીસ દ્વારા ગુમ થયેલા છ મોબાઇલ કિંમત રૂા.1,02,189ના મોબાઇલ શોધી કાઢેલ અને મોબાઇલ માલીકોને પરત આપ્યા હતા. ત્યારે પોલીસે મુળ માલીકોને પરત આપતા ભવનાથ પોલીસનું આભાર વ્યકત કર્યો હતો.
ભવનાથ પોલીસે રૂા.1 લાખના છ મોબાઇલ માલીકોને પરત કર્યા
