‘ખાસ-ખબર’ કાર્યાલયની આજરોજ સેજલભાઈ કોઠારી, શૈલેષભાઈ માઉ, રાજેશભાઈ મોદી, ધીરેનભાઈ, અમીત લાખાણી, હિતેષભાઈ શાહ, હિમાંશુ પારેખ, કેવીન ઉદાણી, વિશાલભાઈ, ચંદ્રેશભાઈ શેઠ, ઉમંગ ગોસલીયાએ મુલાકાત લીધી હતી.
જૈન શ્રેષ્ઠીવર્ય જીતુભાઈ બેનાણી દ્વારા ફ્લોટ્સને સબસીડી, વેશભૂષા સ્પર્ધાના તમામ સ્પર્ધકો, નવપદનાં 108 બાળકોને ગીફ્ટ અને વિજેતાને ઈનામો અપાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
આગામી 21 એપ્રિલના રોજ જૈનમ્ના સંકલન દ્વારા રાજકોટનો સમસ્ત જૈન સમાજ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવમાં આ વખતની ભવ્ય અને દર્શનીય ધર્મયાત્રા મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે થવા જઈ રહી છે, જેમાં અનેકવિધ ફ્લોટ, અનુકંપારથ, પ્રભુજીનો ચાંદીનો રથ, વીરપ્રભુનું પારણું, મ્યુઝિકલ બેન્ડ, કળશધારી બહેનો, વેશભૂષામાં સજજ બાળકો જોડાવાના છે એવી સુંદર ધર્મયાત્રા અને ધર્મયાત્રા પૂર્ણ થયે યોજાનાર ધર્મસભા કે જેમાં અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો આશિર્વચન પાઠવશે, સમાજ શ્રેષ્ઠીઓ પ્રેરક ઉદ્બોધન આપશે.
અલગ અલગ સ્પર્ધાના વિજેતાઓને ઈનામોથી નવાજવામાં આવશે તેવી ધર્મસભા તથા ધર્મયાત્રાના આ વખતના અધ્યક્ષ તરીકે જાણીતા ઉદારદિલ દાનવીર દાતા એવા દામિનીબેન પિયુષભાઈ કામદારની વરણી કરવામાં આવી છે. ધર્મયાત્રામાં જોડાતા તમામ ફ્લોટ ધારકોને આર્થિક સહયોગ મળી રહે તેવા હેતુથી ખર્ચને પહોંચી વળવા માટે સબસીડી, જન્મ કલ્યાણકના દિવસે યોજાતી વેશભૂષા સ્પર્ધાના તમામ સ્પર્ધકોને ગીફ્ટ તેમજ આ સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને ઈનામો, આ ઉપરાંત નવ નવકાર મંત્રના પદના સ્ટેજમાં જેમાં કુલ 108 બાળકો ધર્મયાત્રાને સ્વાગત કરવાના છે તમામ બાળકોને એક સુંદર ગીફ્ટ જાણીતા જૈન અગ્રણી જીતુભાઈ બેનાણી દ્વારા આપવામાં આવનાર છે. ધર્મયાત્રામાં જોડાનાર અનુકંપા રથ કે જેમાંથી ધર્મયાત્રાના રૂટ ઉપર ભાવિકોને પ્રભાવના વિતરણ કરવામાં આવશે તેનો લાભ નીતિનભાઈ કામદાર (જુલીયાના ફેશન) દ્વારા લેવામાં આવ્યો છે. ધર્મસભા પૂર્ણ થયે લાડુની પ્રભાવના હરેશભાઈ વોરા તથા રાજુભાઈ પારેખ દ્વારા કરવામાં આવનાર છે. હાલમાં પડી રહેલ ભયંકર તડકાના માહોલમાં શ્રાવકોને રક્ષણ માટે હિતેશભાઈ મહેતા દ્વારા 500 ટોપીનું વિતરણ કરવાની સેવા કરવામાં આવનાર છે.
- Advertisement -
તા. 20 ને શનિવારના રોજ રાત્રે 8-00 કલાકે યોજાનાર એનિમેશન શોનું ‘સાંજ સમાચાર’ના યુવા એડિટર કરણભાઈ શાહ તથા દાદાવાડી જિનાલય, માંડવી ચોકના પ્રમુખ જીતુભાઈ દેસાઈ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. વેશભૂષા સ્પર્ધા કે જેમાં મોટી સંખ્યામાં બાળકો ભાગ લઈ રહ્યા છે તેવી આ સ્પર્ધાના સ્ટેજને ખારા પરિવારના વડીલો સર્વે વિરેન્દ્રભાઈ ખારા, ગીરીશભાઈ ખારા, જીતેન્દ્રભાઈ ખારા, સુનીલભાઈ ખારા વગેરે કરકમલો દ્વારા ખુલ્લુ મૂકવામાં આવશે. ભગવાન મહાવીર સ્વામીના બાળ સ્વરૂપને પ્રભુજીનું પારણું બનાવી ઝુલાવવામાં આવશે. આ પારણામાં ચાંદીથી બનેલા 14 સ્વપ્નો, ફળફળાદી વગેરેથી સજાવટ કરી બનાવવામાં આવશે, જે જોવું એ એક લ્હાવો છે. આ પ્રભુજીનું પારણુંના દાતા પ્રદીપભાઈ વોરા દ્વારા દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવશે. રવિવારના રોજ જે પણ દેરાસરમાં ભગવાન શ્રી મહાવીર સ્વામી બિરાજમાન છે તે તમામ દેરાસરમાં પ્રભુજીની પ્રતિમાને વિશેષ આંગી જૈનમ્ દ્વારા કરવામાં આવશે.
ધર્મયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર યાત્રામાં જોડાયેલા શ્રાવકો માટે શાતાકારી સેવા અનેક સંસ્થા પરિવાર દ્વારા કરવામાં આવનાર છે, જેમાં કસ્તુરબા રોડ ખાતે સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ ખાતે સાંજ સમાચાર પરિવાર દ્વારા શરબત, સર્કિટ હાઉસ પાસે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર દ્વારા લીંબુ પાણી, ફૂલછાબ ચોક ખાતે ફૂલછાબ દૈનિક પરિવારા દ્વારા શરબત, મોટી ટાંકી ચોક ખાતે નેમિનાથ વિતરાગ યુવક મંડળ દ્વારા પેક્ડ બોટલ, એવરસાઈન હોટલ સામે કિશોરભાઈ દોશી દ્વારા શરબત, લીમડા ચોક ખાતે પંચનાથ મંદિર દ્વારા છાશ, ત્રિકોણ બાગ ખાદી ભવન પાસે સુખડીયા કંદોઈ સમાજ દ્વારા શરબત, બાપુના બાવલા પાસે જેએસજી રાજકોટ એલીટ ગ્રુપ દ્વારા પેક્ટ બોટલ, રાજેશ્રી સિનેમા પાસે સ્થાનકવાસી પ્રતિક્રમણ મંડળ દ્વારા ઠંડા પીણાની બોટલ, દિવાનપરા પોલીસ ચોકી પાસે જયભાઈ ખારા, મનીષભાઈ કામાણી, જીતેશભાઈ મહેતાના સહયોગથી વરિયાળીનું શરબત વિગેરેની સેવા આપવામાં આવનાર છે. ગઈકાલે યોજાયેલી રંગોળી સ્પર્ધામાં 24 તિર્થંકરો જેટલી સંખ્યામાં 24 સ્પર્ધકોએ હોંશભેર ભાગ લીધો હતો. આ રંગોળી સ્પર્ધાનું ઉદ્ઘાટન દામિનીબેન પિયુષભાઈ કામદાર, ઝરણાબેન વિભાશભાઈ શેઠ, જાગૃતિબેન કમલેશભાઈ શાહના કરકમલો દ્વારા કરવામાં આવેલ હતું. ઉપરાંત સ્પર્ધા દરમિયાન મોનિટરીંગ અને બાળકોને પ્રોત્સાહન કાજલબેન જુગલભાઈ દોશી અને કામિનીબેન ભાવિનભાઈ ઉદાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ તમામ સ્પર્ધકોને સન્માનપત્ર તથા રોકડ પુરસ્કારના કવર અંકિતાબેન જયભાઈ ખારા, રૂપલબેન સેતલભાઈ સોલંકી, કવિતાબેન પારસભાઈ શેઠના વરદહસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ચિત્રનગરીના રૂપલબેન સેતલભાઈ સોલંકી, હેમાબેન મુકેશભાઈ વ્યાસ તથા અન્ય પરિવારના કવિતાબેન પારસભાઈ શાહ, શીતલબેન અમિષભાઈ દેસાઈ, વિરબેન ભાવિકભાઈ શાહએ સેવા આપી હતી. આજરોજ બપોરે 4થી 6 દરમિયાન ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધા યોજાનાર છે જેમાં 100થી વધુ સ્પર્ધકો ભાગ લેનાર છે. આ બંને સ્પર્ધાના રંગોળી અને ચિત્રો નિહાળવા માટે તા. 21-4 રવિવાર સુધી સવારે 8-00થી રાત્રે 10-00 કલાક સુધી વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો તમામ જૈન સમાજ અને અન્ય સમાજના ભાઈ-બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે. મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે આયોજિત અનેકવિધ કાર્યક્રમનું સંકલન જૈનમ્ના જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી તથા જયેશભાઈ વસા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને વ્યવસ્થા માટે બનેલી અલગ અલગ કમિટીના મિત્રો દ્વારા તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે.