સૌ ભાવિકો દર્શન કરી શકે તે હેતુથી મંદિરના આરતીના સમયમાં ફેરફાર કરાયો છે
યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પુનમનો મેળો તારીખ 01 સપ્ટેમ્બરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ભાદરવી પુનમનો મેળો 07 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ મેળામાં આવતાં લાખો પદયાત્રીઓને શાંતિ અને સરળતાથી દર્શનનો લાભ મળી શકે તે માટે મેળાનાં આ સાત દિવસ માટે દર્શન આરતીનાં સમયમાં ફેરફાર સાથે વધારો કરાયો છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવનાર હોઈ તમામને દર્શનનો લાભ મળી રહે તે માટે દર્શનના સમયમાં વધારો કરાયો છે.
દર્શનના સમયમાં ફેરફાર
સવારે આરતી …. 06.00 થી 06.30
સવારે દર્શન…… 06.30 થી 11.30
બપોરે દર્શન….. 12.30 થી સાંજ નાં 05.00
સાંજે આરતી …. 07.00 થી 07.30
સાંજે દર્શન……. 07.30 થી મોડી રાતનાં 12.00 કલાક સુધી રહેશે
જોકે આ વખતે ભાદરવી પૂનમને ચંદ્ર ગ્રહણ હોવાથી ભાદરવી પૂનમને અંબાજી મંદિરમાં બપોરે 12.30 કલાકે રાજભોગ ધરાવ્યા બાદ મંદિર બંધ કરવામાં આવશે અને 12.30 વાગ્યા બાદ મંદિર ન શિખરે ધજા પણ ચઢાવી શકાશે નહીં યાત્રિકો સાંજના 5.00 કલાક સુધી જાળી માંથી માત્ર દર્શન થશે અને ત્યાર બાદ મંદિર દર્શનાર્થી ઓ માટે સંપૂર્ણ પણે બંધ કરી દેવાશે અને તેના બીજા દિવસે એકમે સવારે 08.00 કલાકે મંગલા આરતી કરવામાં આવશે
ભાદરવી પૂનમે ચંદ્ર ગ્રહણ
મંદિર બપોરના 12.30 કલાક પછી માતાજીમાં પટ બંધ કરવામાં આવશે
બપોરે 12.30 કલાક પછી મંદિરના શિખરે ધજા પણ ચઢાવી શકાશે નહીં
12.30 થી 5.00 કલાક સુધી માત્ર જાળીમાંથી જ દર્શન કરી શકાશે
5.00 વાગ્યા પછી મંદિર દર્શનાર્થી ઓ માટે સંપૂર્ણ બંધ રહેશે
બીજા દિવસે એકમે સવારે મંગળા આરતી 8.00 કલાકે થશે