દિવાળી સુધી બંગાળનાં પ્રવાસીઓ આવતા હોય છે
ખાસ-ખબર સંવાદદાતા
દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરે પ્રતિ વર્ષ નવરાત્રીની દુર્ગાપૂજાથી છેક દિવાળી સુધી કલકત્તા બંગાળના ભાવિકો, યાત્રિકો પ્રવાસીઓ નજરે ચડે છે. તેઓના યાત્રાની વિશિષ્ટતાએ છે કે, પરિવારોના સમૂહમાં સૌરાષ્ટ્રયાત્રા આવે છે. અહીં આવતા પહેલા તેમાંનો એક માણસ એક મહિના અગાઉ અહીંના અતિથિ ગૃહો ભોજનાલયો અને વાહન વ્યવસ્થાઓનું બુકિંગ કરાવી લીધેલ હોય છે. તેઓ બે કે ત્રણ દિવસ રોકાય છે અને જોવાલાયક સ્થળોની ઊંડી જાણકારી અને માહિતી મેળવી પ્રવાસ પાવનકારી બનાવે છે.દુર્ગાપૂજાથી દિવાળી સુધી બંગાળમાં સ્કૂલ કોલેજોમાં વેકેશન હોય છે.જેથી આ સમય તેઓને પ્રવાસ માટે અનુકૂળ હોય છે. આનંદમય અને શાંતિ રીતે યાત્રા અને તીર્થોના દર્શન કરવા તેમજ પ્રવાસની મજા માણવા મોટાભાગના લોકો પોતાની યાત્રામાં તીર્થધામો નાં દર્શન બાદ આસપાસની નવીન ચીજ વસ્તુઓની ખરીદી કરતા હોય છે.