પરમાત્માના ચરણોમાં ડો.શરદ ઠાકરના વંદન. પ્રત્યક્ષ પ્રમાણને જ સત્ય માનનારા લોકોની દ્રષ્ટિ મર્યાદા જ્યાં સમાપ્ત થાય છે ત્યાંથી ધારણાની સરહદ શરૂ થાય છે. લેબોરેટરીમાં પ્રયોગો દ્વારા જે સિદ્ધ થઈ શકે તેનો જ સ્વીકાર કરનારા વૈજ્ઞાનિકોની પ્રયોગશાળાની બહાર ન જોઈ શકાતી શ્રદ્ધા ઊભી હોય છે. જન્મ, જીવન, માંદગી, જરાવસ્થા અને મૃત્યુના પડાવો જ્યારે પૂરા થાય છે ત્યારે ઈશ્વર નામની મંઝિલ દ્રષ્ટિગોચર થાય છે. આપણું ઘર, ગામ, શહેર, ભારત દેશ, એશિયા ખંડ, પૃથ્વી ગ્રહ, સૂર્યમંડળ અને અનેક તારાઓ, નક્ષત્રો, આકાશગંગાઓ, નિહારિકાઓ જેમાં સમાયેલા છે તે પૂરું બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે. અત્યારે તમે આ વાંચી રહ્યા છો ત્યારે પણ બ્રહ્માંડ અત્યંત વેગ પૂર્વક વિસ્તાર પામી રહ્યું છે. એક દિવસ એવો આવશે કે બ્રહ્માંડનો નાશ થશે. એક સમયે એવો હતો જ્યારે બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું ન હતું. બ્રહ્માંડની પહેલા પણ શૂન્ય હતું, બ્રહ્માંડના વિનાશ પછી પણ શૂન્ય રહેશે. આ શૂન્ય એ જ શિવ છે.
બ્રહ્માંડની પહેલા પણ શૂન્ય હતું, વિનાશ પછી પણ શૂન્ય રહેશે: આ શૂન્ય એ જ શિવ

Follow US
Find US on Social Medias