ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના ટોબરા ગીરના પ્રવીણભાઈ મોતીભાઈ જોષી તથા રાજકોટ શહેર ભાજ5 કાર્યાલયમંત્રી અને સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના પ્રવકતા હરેશભાઈ જોષીની સંયુક્તયાદીમાં જણાવાયું છે કે જોષી પરિવારના પિતૃઓ સ્વ. હરજીવનભાઈ નરસિંહભાઈ જોષી, સ્વ.અમૃતબેન હરજીવનભાઈ જોષી, સ્વ.મોતીલાલ હરજીવનભાઈ જોષી, સ્વ.હિંમતલાલ હરજીવનભાઈ જોષી, સ્વ.ધીરજલાલ હરજીવનભાઈ જોષી, સ્વ.ભાનુબેન ધીરજલાલ જોષી, સ્વ.પ્રભાબેન પ્રવીણચંદ્ર જોષી, સ્વ. પ્રફુલભાઈ ધીરજલાલ જોષી, સ્વ.રમેશભાઈ હિંમતલાલ જોષી સહિતના પિતૃઓના મોક્ષાર્થે જોષી પરિવાર દ્વારા 100 વાર કાશી અને 1 વાર પ્રાચી એવા પ્રાચી તિર્થ ક્ષેત્રના મોક્ષ પીપળાના પ્રાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન પ્રાચી ખાતે આવેલ શ્રી કારડીયા રાજપુત સમાજ, માધવરાયજી મંદિરની બાજુમાં, પ્રાચી પીપળા ખાતે કરવામાં આવેલ છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના વ્યાસાસને વિદ્વાન ભાગવતાચાર્ય પ્રવકતા શ્રી ભાવેશભાઈ ડી.પંડયા (કાશી, કણજડીવાળા) બિરાજી સંગીતસભર રસમય શૈલીમાં કથા રસપાન કરાવશે.
- Advertisement -
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો કથા વિરામ વૈશાખ વદ આઠમ શુક્રવાર તા. 31/05 બપોરે 12.00 કલાકે થશે. તો આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા સર્વ ધર્મ અનુરાગીશ્રીઓને જોષી પરિવાર દ્વારા હાર્દિક આમંત્રણ છે. આમ, અંતમાં ટોબરા નિવાસી પ્રવીણભાઈ જોષી તેમજ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી અને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રવકતા હરેશભાઈ જોષીની યાદીમાં જણાવાયું છે.
શાસ્ત્રીજી શ્રી ભાવેશભાઈ ડી.પંડયાના વ્યાસાસને સંગીતમય શૈલીમાં 25મેથી તા.31 મે સુધી ભાગવત કથાનું સવારે 9.00 થી 12.00 અને બપોરે 3.00 થી 6.00 કલાકે રસપાન કરાવશે