ખાસ-ખબર સંવાદદાતા
જૈનોનાં પવિત્ર તહેવારમાં પર્યુષણનો પ્રારંભ તા.24-8-2022 નાં બુધવારનાં રોજ થઈ રહેલ છે. જે અંતર્ગત શ્રી સ્વ.મુળવંતભાઈ દોમડીયાનાં આશીર્વાદથી છેલ્લા 50 વર્ષથી કાર્યરત શ્રી સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળ જ પયુર્ષણ મહાપર્વ માં રાજકોટ શહેરમાં આશરે 50 જેટલા સ્થળોએ પ્રતિક્રમણ કરાવવાની સુંદર વ્યવસ્થા આવીતકાલ સંવત્સરી તા.31-08-2022 નાં રોજ સાંજે 6 વાગ્યે કરવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં ભાઈઓ માટે શ્રી વિરાણી પૌષધશાળા – કોઠારીયા નાકા, જૈન ભુવન-જાગનાથ પ્લોટ, શ્રી રોયલ પાર્ક ઉપાશ્રય-રોયલ પાર્ક, શ્રી ભકિતનગર ઉપાશ્રય-ભકિતનગર સોસાયટી, શ્રી શેઠ ઉપાશ્રય- 150 ફુટ રીંગ રોડ, શ્રી વિતરાગ-નેમીનાથ ઉપાશ્રય-ગાંધીગ્રામ, શ્રી ગીત ગુર્જરી ઉપાશ્રય, શ્રી ગોંડલ રોડ વેસ્ટ ઉપાશ્રય, જૈન ચાલ ઉપાશ્રય, શ્રમજીવી ઉપાશ્રય, નાલંદા ઉપાશ્રય, સદર ઉપાશ્રય, અજરામર ઉપાશ્રય, રામકૃષ્ણનગર ઉપાશ્રય, જંકશન પ્લોટ ઉપાશ્રય, ઉવસ્સગહરં સાધના ભવન, રૂષભદેવ ઉપાશ્રય, રેસકોર્ષ પાર્ક ઉપાશ્રય, વિમલનાથ ઉપાશ્રય, સી.એમ.શેઠ – સીલ્વર હાઈટ્સ, નાના મવા સર્કલ, સંઘાણી વૈયાવચ્ચ કેન્દ્ર – માલવીયાનગર, શાંતિનાથ ઉપાશ્રય, 7-એ : મીલપરા, વૈશાલીનગર ઉપાશ્રય ઉપરાંત ભાઈઓ-બહેનો માટે : ગોંડલ રોડ વેસ્ટ ઉપાશ્રય, નાલંદા ઉપાશ્રય, શેઠ ઉપાશ્રય-150 ફુટ રીંગ ઉપાશ્રય, ઉવસ્સગહરં સાધના ભવન, જૈન ચાલ ઉપાશ્રય, શ્રમજીવી ઉપાશ્રય, શેઠ પૌષધશાળા-12/15 મનહર પ્લોટ, દિનાબેન દોશી – નવપદ, 2 તીરૂપતિનગર, ભાનુબેન ગોડા – તક્ષશિલા એપાર્ટમેન્ટ, વિનોદભાઈ શાહ – રાજપથ એપાર્ટમેન્ટ, પંચવટી સોસા., મનહરભાઈ મહેતા- અર્હમ, 1-સોમનાથ સોસાયટી, સુક્ધયા તીર્થ ધામ – ક્રિસ્ટલ મોલ પાસે, નિશાબેન શાહ – રાજવૈભવ, પ્રદ્યમુન ગ્રીન સીટી, ઓમકાર ટાવર્સ, 1-બ તીરૂપતીનગર, તારાબેન દોમડીયા- અરીહંત, 11-ગોકુલધામ, રતીલાલ જેચંદ દોશી – 9 પંચનાથ પ્લોટ, મુળવંતભાઈ દોમડીયા – 7 કોટક શેરી, શિલ્પાબેન શાહ : જનકલ્યાણ સોસાયટી, અતુલભાઈ કુંભાણી – સીલ્વર કલાસીક, અમીન માર્ગ, જ્યોતિબેન પારેખ – અજય એપાર્ટમેન્ટ, રજનીબેન બાવીસી – 39 ન્યુ જાગનાથ, જય જીનેન્દ્ર આરાધના ભવન, જન્કલ્યાણ કોમ્યુ. હોલ, જનકલ્યાણ એપાર્ટમેન્ટ, 5-સરદારનગર, અનીલભાઈ બદાણી – સમર્થ ટાવર્સ, અક્ષર માર્ગ, ડોલરભાઈ કોઠારી – 10- સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર, પ્રફુલભાઈ શાહ – અનુરાગ, 6-છોટુનગર રાજકોટ ખાતે પર્યુષણ પર્વ દરમ્યાન પ્રતિક્રમણ કરવાની સુંદર વ્યવસ્થા રાખવામાં આવેલ છે.