સફળ ઓપરેશન સિંદૂર બાદ બીસીસી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
IPLનો સમાપન સમારોહ 3 જૂને અમદાવાદમાં યોજાવાનો છે.
- Advertisement -
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ આપવાની પુષ્ટિ કરી છે.
૧૭ મેના રોજ એક અઠવાડિયાના સસ્પેન્શન બાદ IPL ૨૦૨૫ ફરી શરૂ થયું
BCCI (ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ) ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) ના સમાપન સમારોહ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોને ખાસ શ્રદ્ધાંજલિ આપશે, BCCI સચિવ દેવજીત સૈકિયાએ પુષ્ટિ આપી.
- Advertisement -
BCCIની ખાસ તૈયારી
BCCIએ આ ઓપરેશન સિંદૂરની સફળતાને આઈપીએલના પ્લેટફોર્મ પર ઉજવવાનું નક્કી કર્યું છે. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આ અંગે જણાવ્યું હતું કે, ‘આ વખતે કલોઝિંગ સેરેમની સંપૂર્ણપણે ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત રહેશે. આ માટે સેના, નેવી અને એરફોર્સના વડાઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. અમે આપણા સશસ્ત્ર દળોની બહાદુરી અને સેવાને સલામ કરીએ છીએ. તેથી જ અમે આ સેરેમની સંપૂર્ણપણે તેમને સમર્પિત કરવાનું નક્કી કર્યું છે.’
ઓપરેશન સિંદૂર: આતંકવાદ પર એક મોટો હુમલો
ઓપરેશન સિંદૂર 7 મેના રોજ શરૂ થયું. તેનો ઉદ્દેશ્ય પાકિસ્તાન અને પીઓકેમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને નષ્ટ કરવાનો હતો. આ કાર્યવાહી એપ્રિલ 2025 માં પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આતંકવાદ સામે દેશનું રક્ષણ કરવામાં ઓપરેશન સિંદૂરએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.