જૂનાગઢ લોકસભા બેઠકમાં કોંગ્રેસે હીરાભાઈ જોટવાને મેદાને ઉતાર્યા
ભાજપ સત્તા જાળવી રાખશે કે કોંગી બાજી મારશે
બંને ઉમેદવારોએ જોશથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસે આખરે હીરાભાઈ જોટવાની પસંદગી કરી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ભાજપે ત્રીજી વખત રાજેશ ચૂડાસમાને ટીકીટ આપી છે. ત્યારે બંને ઉમેદવાર મજબુત માનવામાં આવે છે. જેમાં ભાજપે જ્ઞાતી ફેક્ટર અને બે વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા રાજેશ ચૂડાસમાની પસંદગી કરી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અગાઉની બે લોકસભા ચૂંટણીમાં કોળી સમાજ માંથી પૂંજાભાઈને ટીકીટ આપી હતી અને બંને વાર તેમની હાર મળી હતી જોકે હવે આહીર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવાને મેદાને ઉતારી નવો દાવ અજમાવ્યો છે. જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવાર મજબુત માનવામાં આવે છે. એક તરફ જોઇએ તો કોળી સમાજના મત અને આહીર સમાજના મત નિર્ણાયક માનવામાં આવે છે. ત્યારે આ ચૂંટણીમાં મતોનું વિભાજન થવાની શક્યતા જોવાઇ રહી છે. ત્યારે બંને પક્ષના ઉમેદવારોએ જીતના વિશ્વાસ સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. અને બંને ઉમેદવાર જૂનાગઢ લોકસભા બેઠક માટે મજબુત માનવામાં આવે છે.
ત્યારે આગામી ચૂંટણી પરિણામો આવ્યાં બાદ ખબર પડશે કે, રાજેશ ચૂડાસમા હેટ્રિક મારે છે કે, મતદારો નવો ચેહરો પસંદ કરે છે. જૂનાગઢ લોકસભા ચુંટણી ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 19 એપ્રીલ છે. ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથ બે જિલ્લાના મતદારોનો સમાવેશ થાય છે. એવા સંજોગોમાં મતદારો પાસે બંને ઉમેદવાર પોતાની રજુઆત કરી મતો માંગશે જેમાં ભાજપના રાજેશ ચૂડાસમાએ છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે જીત હાંસલ કરીને કરેલા કાર્યોનો હિસાબ આપવો પડશે તો કોંગ્રેસના ઉમેદવાર પેહલી વખત લોકસભા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેને કોંગ્રેસ અને ઇન્ડીયા ગઠબંધન દ્વારા જે ચૂંટણી વાયદા કર્યા છે તેને ધ્યાને રાખીને અને બંને જીલ્લામાં ક્યાં કામ અધૂરા છે તે કાર્યો લઈને મતદારો સુધી જવાના છે. ત્યારે મતદારો પણ પોતાનો મિજાજ કળવા દેતા નથી તેતો હવે આગામી તા.7 મેના મતદાન યોજાયા બાદ 4 જૂને પરીણામ આવ્યા બાદ ખબર પડશે કે મતદારો કોની તરફેણમાં રહ્યા એક તરફ વિકાસયાત્રા તો બીજી તરફ વાયદા વચનો સાથે વોટ માંગશે.
- Advertisement -
માણાવદર વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી કોણ હજું સસ્પેન્સ
જૂનાગઢ લોકસભા સામાન્ય ચુંટણી માટે ભાજપ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારો જાહેર કરી દીધી છે ત્યારે માણાવદર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા હજું ઉમેદવારનું નામ જાહેર કરાયું નથી જોકે આ બેઠકના મતદારોનો સમાવેશ પોરબંદર બેઠકમાં થાય છે ત્યારે જૂનાગઢ બેઠક સાથે કોઇ લેવાદેવા નથી પણ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલ અરવિંદ લાડાણીને ટીકીટ આપી છે. એવા સમયે હવે કોંગ્રેસ પાટીદાર સમાજ માંથી ટીકીટ આપે છે કે પછી અન્ય ચહેરો પસંદ કરે છે. તે જોવાનું રહ્યું જો પાટીદાર ચહેરો કોંગ્રેસ મેદાને ઉતારશે તો પાટીદાર દ / ત પાટીદારનો ચૂંટણી જંગ માણાવદર બેઠક પર જોવા મળશે