36 લાખ લોકો મુશ્કેલીમાં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
- Advertisement -
બાંગ્લાદેશમાં અધિકમાસ વચ્ચે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. પૂરથી 36 લાખ લોકો પ્રભાવિત થયા છે. આ વચ્ચે યુનુસ સરકારે ભારત પર પાયાવિહોણા આરોપ કર્યા છે. જોકે ભારતે આ આક્ષેપનો જડબાતોડ જવાબ આપ્યો છે. બાંગ્લાદેશમાં એવી અફવા છે કે ત્રિપુરામાં ડામ્બુર ડેમ ખોલવાને કારણે પૂર આવ્યું છે. આ સાચું નથી. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, બાંગ્લાદેશમાં આવેલા પૂર માટે ભારત જવાબદાર નથી. મંત્રાલયે કહ્યું કે, ભારત અને બાંગ્લાદેશમાંથી વહેતી ગોમતી નદીની આસપાસના વિસ્તારમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ થયો છે. જેના કારણે બંને પક્ષે સમસ્યા સર્જાઈ છે. બંને દેશો વચ્ચે નદીઓમાં પૂર આવવું એ એક સામાન્ય સમસ્યા છે, જેની સાથે બંને દેશોના લોકોને સંઘર્ષ કરવો પડે છે. આનો સામનો કરવા માટે બંને દેશોના સહયોગની જરૂર છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે, ડામ્બુર ડેમ બાંગ્લાદેશ સરહદથી 120 કિલોમીટરથી વધુ દૂર છે. આ નીચી ઊંચાઈ (લગભગ 30 મીટર) ડેમ છે, જે વીજળી ઉત્પન્ન કરે છે અને તે વીજળી ગ્રીડમાં જાય છે જેમાંથી બાંગ્લાદેશને પણ ત્રિપુરામાંથી 40 મેગાવોટ વીજળી મળે છે.
બાંગ્લાદેશના 12 જિલ્લામાં પૂર, ભારત પર આરોપ
હકીકતમાં બાંગ્લાદેશમાં 12 જિલ્લામાં ભારે પૂર આવ્યું છે. દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશમાં પૂરથી 36 લાખ લોકો પ્રભાવિત થયા છે. સેંકડો ઘરો પાણીમાં ડૂબી ગયાં છે અને લોકો ધાબા પર ફસાયા છે. બંગાળી અખબાર પ્રથમ આલો અનુસાર, પૂર અને વરસાદને કારણે થયેલા અકસ્માતોમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. ટેલિકોમ્યુનિકેશન બંધ થવાને કારણે વધુ માહિતી ઉપલબ્ધ નથી. ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (ઇગઙ) સહિત વચગાળાની સરકારના કેટલાક નેતાઓ પણ આ પૂર માટે ભારતને જવાબદાર ઠેરવી રહ્યા છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, બાંગ્લાદેશના સૂચના અને પ્રસારણ મંત્રાલયના સલાહકાર નાહિદ ઇસ્લામે કહ્યું હતું કે, ભારતે ચેતવણી આપ્યા વિના પાણી છોડ્યું. આ અમાનવીય છે. ઇગઙ પાર્ટીના સંયુક્ત મહાસચિવ રૂહુલ કબીર રિઝવીએ આરોપ લગાવ્યો કે ભારતે ત્રિપુરામાં ગોમતી નદી પર ડામ્બુર ડેમના દરવાજા જાણી જોઈને ખોલ્યા, જેના કારણે આટલું ગંભીર પૂર આવ્યું. તેમણે કહ્યું કે ભારતને બાંગ્લાદેશના લોકોની પરવા નથી.
ભારતે કહ્યું- વધારે વરસાદને કારણે પૂર આવ્યું
સીએનએન અનુસાર, વચગાળાની સરકારમાં મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે કહ્યું કે, ભારતનું માનવું છે કે બાંગ્લાદેશમાં તેની રીતે પાણી આવ્યું છે. તેનું કારણ નદીમાં વધુ પડતું પાણી હતું. ત્રિપુરાના ઊર્જા મંત્રી રતનલાલ નાથના જણાવ્યા અનુસાર, ડામ્બુર ડેમને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જ્યારે પાણી ચોક્કસ મર્યાદાથી વધી જાય ત્યારે તે પોતાને છોડવા લાગે છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું કે, ડેમનો એક પણ ગેટ ખોલવામાં આવ્યો નથી. પ્રથમ આલો અનુસાર, 18 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશના ફ્લડ ફોરકાસ્ટિંગ એન્ડ વોર્નિંગ સેન્ટરે માત્ર એટલું જ કહ્યું હતું કે, નદીઓમાં પાણીનું સ્તર વધશે. ભારતના પૂરની આગાહી અને ચેતવણી કેન્દ્રે પણ આવી કોઈ માહિતી આપી નથી. પરિણામ એ આવ્યું કે બાંગ્લાદેશનો પૂર્વી ભાગ અચાનક પૂરથી તબાહ થઈ ગયો. સીએનએન અનુસાર, ભારતે સ્વીકાર્યું છે કે વરસાદના કારણે ત્રિપુરામાં પાવર આઉટ થયો હતો, જેના કારણે કમ્યુનિકેશનમાં સમસ્યા આવી હતી.