ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.20
પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિ અને સભા, સરઘસ, ધરણા, અને વિરોધ પ્રદર્શન સંદર્ભે અગમચેતીના પગલા રૂપે પોલીસ અધિક્ષક પોરબંદર તરફથી જાહેરનામાની દરખાસ્ત આવતા પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જિલ્લા તા.29-03-2024 સુધી કોઇપણ સભા, મંડળી, સરઘસ માટે મનાઇ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક મંડળી, સરકારની નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિત , લગ્નનો વરઘોડો, સરકાર દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમો તેમજ પરવાનગી લઇને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર સામે દંડ અથવા સાદી કેદની કાર્યવાહી કરાશે.