અન્ય બેન્કો અને સંસ્થાઓએ પણ અનુકરણ કરવા જેવું
કોઈપણ સંસ્થાને સારી રીતે ચલાવવા માટેનો મહત્વનો પાયો તેમના પાયા કર્મચારીઓ હોય છે. જો હાથ-પગ રૂપી કર્મચારી જ સ્વસ્થ અને સક્ષમ નહીં હોય તો સંસ્થા સારી રીતે પોતાનું પ્રદર્શન નહીં કરી શકે. આવી જ મહત્વની બાબતની કાળજી લીધી છે રાજકોટ નાગરિક બેંકે.
કોરોનાના કારણે વિશ્વનો દરેક વ્યક્તિ પોતાના તેમજ પરિવારના સ્વાસ્થ્ય માટે ચિંતિત રહેતો હોય છે. ત્યારે જે વ્યકિતઓ વર્ક ફ્રોમ હોમ ન કરી શકે તેમને પોતાના સ્વાસ્થ્ય માટે ખૂબ કાળજી રાખવી પડતી હોય છે. ત્યારે બેંકના કર્મચારીઓ કોરોનાની બિમારીથી દૂર રહીને સ્વસ્થ રહે અને રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે રાજકોટ નાગરિક બેંકે બાન લેબ દ્વારા બનાવેલ ક્રકસ લિંકટસ પ્રોકડ્કનું વિતરણ કર્યું છે.
- Advertisement -
કર્મચારીના બદલે પરિવારના સભ્યોની જેમ ચિંતા કરતાં નાગરિક બેંકના ચેરમેન શૈલેષભાઈએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના સમયથી નાગરિક બેંક પોતાના કર્મચારી માટે પ્રિ-એક્ટીવ રહી હતી. કોરોનાની પહેલી લહેરમાં કર્મચારીઓને સેનેટાઈઝર, હેન્ડવોશ અને હોમિયોપેથીકની દવા આપવામાં આવી હતી. તેમજ બીજી લહેરમાં સૂઠ, હળદર, બદામ અને ગોળની કિટ આપવામાં આવી હતી. જ્યારે ત્રીજી લહેરમાં બાન લેબ દ્વારા બનાવેલ ક્રકસ લિંકટર પ્રોડક્ટ કર્મચારીઓને આપવામાં આવી છે. આ દરેક કાર્યો માટે બેંક ખર્ચાઓને ગૌણ રાખીને કર્મચારીઓના તંદુરસ્ત સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપે છે.
ક્રકસ લિંકટસ એક પ્રકારનું ચાટણ છે જે સ્વાસ્થ્યવર્ધક એટલે કે ઈમ્યુનિટી બુસ્ટઅપ કરનારું તો છે જ સાથોસાથ જેમને શ્વસનતંત્રની તકલીફ હોય તેમને પણ સહાય કરનારું છે. શ્વસન તંત્રની નાની મોટી સમસ્યાઓથી પીડાતા લોકો માટે ક્રકસ લિંકટસ અકસીર ઈલાજ છે. નાગરિક બેંકના પૂર્વ ચેરમેન નલીનભાઈ વસાના કહેવાથી કોઈપણ વિચાર કર્યા વગર બાન લેબના માલિક મૌલેશભાઈ પટેલે ડિસ્કાઉન્ટ સાથે ક્રકસ લિંકટસ પૂરી પાડી હતી. કોરોના મહામારીની સમયમાં પણ મૌલેશભાઈ પટેલ દ્વારા રાજકોટ નાગરિક બેંકના કર્મચારીઓને કોમ્પલીમેન્ટરી તરીકે આયુર્વેદિક ઔષધિઓથી નિર્મિત હલ્દી મિલ્ક તેમજ ક્રકસ સ્પ્રેનું વિતરણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
નાગરિક બેંકે પોતાના કર્મચારીઓમાં કરેલું ક્રક્સનું વિતરણ સ્વાસ્થ્યવર્ધક કાર્ય
ક્રક્સ એ બાન લેબની એક યુનિક પ્રોડક્ટ્સ છે. ક્રક્સ ચાટણ શ્ર્વસનતંત્ર સાથે સંકળાયેલી વિવિધ તકલીફો જેમ કે વાઈરલ ઈન્ફેકશન, શરદી, શ્ર્વાસ લેવામાં તકલીફ વગેરે સાથે ઈમ્યુનિટી બૂસ્ટઅપ કરવા માટે પણ ઉપયોગી છે. કફ-ખાંસી સામે અસરકારક ઓસડિયા અને ઔષધીનાં મીશ્રણથી આ ચાટણ બનાવવામાં આવ્યું છે. તમામ વયના લોકો દરેક ઋતુમાં ક્રક્સનો ઉપયોગ કરી શકે છે. રાજકોટ નાગરિક બેંકે પોતાના બેંક કર્મચારીઓમાં કરેલું ક્રક્સ ચાટણનું વિતરણ સેવાકાર્યની સાથે સ્વાસ્થ્યવર્ધક કાર્ય છે. – મૌલેશભાઈ પટેલ