આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. ત્યારે દેવાધિદેવ મહાદેવજીની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. ત્યારે આજે રાજકોટના આજી નદીના કાંઠે સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર આજે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા.
- Advertisement -
આ દિવસે શિવાલયોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર, ખાસ કરીને આ દિવસે દિવાદિદેવ શિવજીની વિશિષ્ટ રીતે પૂજા-અર્ચના કરવાથી આરોગ્ય પ્રાપ્તી તથા આકસ્મિક અકસ્માતથી પણ બચી શકાય છે.
આ સિવાય શિવાલયમાં બેસીને ‘ઓમ્ નમ: શિવાય’ મંત્રની 11 વખત માળા પણ કરી શકાય છે. તેમજ ‘બમ બમ ભોલે’ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું છે.