એડવોકેટ કુલદીપસિંહ બી. જાડેજાની દલીલ માન્ય રાખતી રાજકોટ સેશન્સ કોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશભરમાં ચકચાર જગાવનર પત્રકાર મહેશ લાંગાને સંડોવતા મસમોટા જીએસટી ચોરીના કૌભાંડમાં વધુ એક આરોપી ઋષિ ભરતભાઇ બગથરિયાના રાજકોટની સેશન્સ અદાલત દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ ચકચારી કૌભાંડની કથિત કૌભાંડની હકીકત એવી છે, કે રાજકોટના ભગવતી પરામા બનાવટી ભાડા કરાર બનાવીને પરમાર એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલી ખોટ ભાડા કરારનો ખરા તરીકે ઉપયોગ કરી જી. એસ. ટી નંબર મેળવી બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે કુલ-14 પેઢીઓના સંચાલકો સાથે મળીને ગુન્હાહિત કાવતરું રચી સાડા ત્રણ કરોડ રૂપિયાના બનાવટી બિલિંગ તેમજ બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકારને મોટું આર્થિક નુકશાન પહોંચાડતા જી.એસ.ટી વિભાગના ઉચ્ચ અધિકારીની ફરિયાદના આધારે રાજકોટ ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો. આરોપી ઋષિ બગથરિયાની ગુન્હામાં પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે બાદ ઋષિ બગથરિયાએ પોતાના એડવોકેટ કુલદીપસિંહ જાડેજા મારફતે રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન અરજી કરી હતી. જેમાં હાલના આરોપીએ કોઈ બોગસ પેઢી ઊભી કરી નથી, આરોપીને પેઢી સાથે કોઈ રીતે લેવા દેવા નથી, કે આરોપીના નામની પેઢી નથી જેથી જી.એસ.ટીની કે બનાવટી દસ્તાવેજોની કોઈ કલમ લાગુ કરી શકાય નહિ. તથા હાલના કેસને સલગ્ન અન્ય હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટના નોંધપાત્ર ચૂકાદાઓ રાજકોટ ડીસીબી પોલીસના સોગંદનામાઓ ધ્યાને લઈને હાલના આરોપીને જામીન મુક્ત કરતો ચુકાદો આપ્યો છે. આ કેસમાં ઋષિ બગથરિયા વતી રાજકોટના વકીલ કુલદીપસિંહ બી. જાડેજા, જ્યોત્સનાબા પી. જાડેજા, રવિરાજસિંહ પરમાર, નિતાબેન સારીખડાં રોકાયેલા હતા.