અગાઉ પણ કૌભાંડ આચરી ચૂકેલી છે ડૉ. ધવલ અજમેરાની હોસ્પિટલ
આયુષ્માન હોસ્પિટલના સેલરમાં જગ્યા છે તો વાહન પાર્કિંગ બહાર કેમ?
- Advertisement -
ગ્રાઉન્ડ ફ્લોર પર ગેરકાયદે રાખેલા બાટલાઓનું સામ્રાજ્ય… કોઈ અકસ્માત થશે તો સલામતીનું શું? બહાર નીકળવું પણ મુશ્કેલ!
થોડા દિવસ પહેલાં એક જુવાનજોધ યુવાને જીવ ગુમાવતાં પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સત્તત ચર્ચામાં રહેતી અને અગાઉ કૌભાંડ આચરી ચૂકેલી રાજકોટના પુનિતનગર પાસેની આયુષ્યમાન હોસ્પિટલની અન્ય બેદરકારીઓ સામે આવી છે. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ગેરકાયદે બાટલાઓ મૂકવામાં આવ્યા છે. જો કોઈ અકસ્માત સર્જાઈ તો ત્યાંથી ભાગવું પણ મુશ્કેલ બની શકે એમ છે. તેમજ હોસ્પિટલમાં સેલર હોવા છત્તા વાહન પાર્કિંગ બહાર કરવામાં આવી રહ્યું છે. જેને લઈને આસપાસના રહેવાસીઓને પણ મુશ્ર્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અહીં સેલરનો ઉપયોગ પોતાના વાહનો પાર્કિંગ માટે કેમ કરવામાં આવી રહ્યો નથી તે એક મોટો પ્રશ્ર્ન છે. આ હોસ્પિટલ પોતાના અનેક વિવાદિત કાર્યોથી બદનામ થયેલી છે. જેમાં એક જુવાનજોધ યુવાનનું હોસ્પિટલમાં જ મોત તેમજ આયુષ્યમાન કાર્ડના દર્દીઓ પાસેથી રૂપિયા પડાવવા જેવા કિસ્સાઓ સામેલ છે.
- Advertisement -
હોસ્પિટલના વાહનો બહારની બાજુ પાર્કિંગ કરવામાં આવે છે. જેના કારણે હોસ્પિટલની આસપાસ રહેતાં લોકોને પણ પારાવાર તકલીફ પડી રહી છે