વેબસાઈટ બંધ થતાં આધારકાર્ડ સેવા અસરગ્રસ્ત : નાગરિકો હેરાન પરેશાન
ખાસ-ખબર ન્યૂઝ વાકાંનેર
વાંકાનેર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડ કામગીરી ખાડે ગઇ હોવાનો ઘાટ સર્જાયો છે, જેમાં આયુષ્યમાન કાર્ડ માટેની વેબસાઇટ સતત ડાઉન રહેવાના કારણે ગરીબ નાગરિકો માટે મહત્વની આરોગ્યલક્ષી કામગીરી તદ્દન બંધ થતાં નાગરિકો હેરાનપરેશાન થઇ રહ્યા છે. આ સાથે જ આધાર કાર્ડની કામગીરીની પણ આવી જ સ્થિતિ છે, જેમાં લોકોને આધારકાર્ડમાં નામ સુધારવાની કામગીરી પણ હાલ વેબસાઇટ ડાઉન થવાના કારણે બંધ રહેતી હોવાથી સમગ્ર પંથકના નાગરિકોને સેવા સદન કચેરી ખાતે ધક્કા થઇ રહ્યા છે.
- Advertisement -
હાલ જાહેર જનતા માટે અતિ મહત્વની આ બંને સેવા ખાડે જતાં લોકો હેરાનપરેશાન થઈ રહ્યા છે, જેથી બાબતે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક જનહિત માટે બંને સેવાઓને પુર્વરત કરવાં માંગ ઉઠી છે.