પોલીસ કેશ કરશો તો ટાંટીયા ભાંગી નાખીશુ તેમ ધમકી આપી
ચાર શખ્સો સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રૈયાધાર ક્વાટરમાં રહેતા લખમણભાઇ જગુભાઈ રાઠોડ ઉ.45એ અરજણ ડાયાભાઈ જહાચીયા, નરેશ અરજણ જહાચીયા, કલ્પેશ અરજણ જહાચીયા અને સંજય બાબુભાઇ જહાચીયા સામે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત બપોરે હું તથા મારી પત્નિ રૈયાધાર રાધે શ્યામ ગૌશાળા પાસે મારા મામા કલ્યાણભાઇના છોકરાના છોકરા વિનયની સગાઇમાં ગયેલ હતો અને ત્યારે ત્યાં મારા બેન જશીબેન રાઠોડ વાળાના વેવાઇ પણ ત્યા આવેલ હોય આ અરજણભાઈ ડાયાભાઈ જહાચીયા મારી પાસે આવેલા અને મને કહેવા લાગેલ કે તમારી બેનને ત્યાં મેં મારી દીકરી આપેલી છે તમારી બેન અવારનવાર મારી દીકરી સાથે ઝગડો કરે છે તો તમે કેમ કાંઇ કહેતા નથી મેં તેમને કહેલ કે એ તમારો પ્રશ્ન છે તમે અમને શું ક્યો છો. તેમ કહેતા આ અરજણભાઇ મારી પર ગુસ્સે થઇ જેમ ફાવે તેમ બોલવા લાગેલ અને ત્યારે તેમના દીકરા નરેશભાઇ તથા કલ્પેશભાઇ પ ણ ત્યાં આવેલા અને મારી સાથે બોલાચાલી કરવા લાગેલ જેથી હું તેમને બોલાચાલી કરવાની ના પાડતા આ બધા ભેગા મ ળી જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ જેથી હું મારી પત્નિ સાથે ત્યાંથી મારા ઘરે જવા નીકળેલ ત્યારે આ અરજણભાઇના દીકરા નરેશભાઇ તથા કલ્પેશભાઇ તથા સંજયભાઈ બાબુભાઈ જહાચીયા મારી પાછળ પાછળ આવેલા અને મને જેમ ફા વે તેમ ગાળો બોલવા લાગેલ હતાં અને ત્યારે આ કલ્પેશભાઇએ લોખંડના સળીયા વડે મારા મોઢા પર ડાબા ગાલ પાસે એ ક ઘા મારેલ અને એક ઘા ડાબા પગમાં મારેલ અને આ નરેશ તથા સંજયભાઇએ મળી મને ઢીકાપાટુનો માર મારવા લાગે લ હતા અને મારી પત્નિને પણ ઢીકાપાટુનો માર મારી પાડી દીધેલ હતા અને ત્યારે અમો ત્યાંથી જતાં હતા ત્યારે આ અર જણભાઇએ મને કહેલ કે પોલીસ કેશ કરશો તો ટાંટીયા ભાંગી નાખીશુ તેમ ધમકી આપેલ હતી અને ત્યારબાદ સિવિલ હોસ્પીટલમાં દાખલ થયા હતા અને ફરિયાદ નોંધાવી હતી.