ગીર સોમનાથ ઘર વિહોણા પરિવારને ઘરનું ઘર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. લોકોને નવું ઘર મળી રહે તે માટે આવાસ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ અનુસૂચિત જાતિના ઘર વિહોણા પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી દ્વારા ઓનલાઇન અરજીઓને આધારે સ્થળ ચકાસણી કરી જરૂરિયાતમંદ પરિવારોને પાકાં ઘર બનાવવા માટે સહાય આપવામાં આવી હતી. જિલ્લામાં વર્ષ 2023-24માં ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ 135નો લક્ષ્યાંક હતો. જેને 100 ટકા પૂર્ણ કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ 135 લાભાર્થીને સહાય

You Might Also Like
Follow US
Find US on Social Medias