– મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમા દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે: રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આસામની પોલીસને FRI નોંધવાનો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, જેટલી તાકાત હોય, આસામ પોલીસ તેટલા કેસ નોંધે. ત્યાર તેમ છતાં પણ તેઓ ડરવાના નથી. કોંગ્રેસ સાંસદે જુના સહયોગી અને આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાને આડે હાથ લીધા છે. રાહુલના જમીન કૌંભાંડ અને લાંચનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાએ સમગ્ર ભારતના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે. રાહુલના આસામના બારપેટામાં ભારત જોડો યાત્રા દરમ્યાન તેમણે કહ્યું કે, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે મળીને પણ તેને ધમકાવી કે ડરાવી શકે નહીં.
- Advertisement -
ગુવાહાટી પોલીસ એક્શનમાં: રાહુલ સહિત કેટલાય કોંગ્રેસી કાર્યકરો પર કેસ નોંધાયા
ઉલ્લેખનીય છે કે, ભારત જોડો યાત્રા દરમ્યાન ભીડને કથિત રૂપે ઉશ્કેરવા માટે ગુવાહાટી પોલીસે એક્શન લેતા રાહુલ ગાંધી સહિત બીજા કોંગ્રેસના કાર્યકરોની સામે કેસ દાખલ કર્યો છે. એક દિવસ પછી આક્રમક વલણ દેખાડતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે નથી ખબર કે આસામના મુખ્યમંત્રી એવું કેવી રીતે માની લીધું કે, પોલીસની પાસે કેસ દાખલ થતા તેઓ ડરી જશે. 25 વધુ કેસ દાખલ કરવામાં આવ્યા. જેટલું સંભવ હોય એટલા કેસ દાખલ કરો, તેમને આ વાતથી કોઇ ફરક પડતો નથી. તેઓ કોઇનાથી પણ ડરવાના નથી.
ભાજપ-RSS આસામના નાગપુરને કંટ્રોલ કરવા માંગે છે, કોંગ્રેસ નહીં કરવા દે
રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પર પણ નિશાન સાધ્યા છે. કોંગ્રેસ સાંસદે આરોપ લગાવ્યો કે, સીએમ સરમા સિવાય વડાપ્રધાન મોદી અને શાહેના હ્દય પણ ઘૃણાથી ભરેલા છે. ભાજપ-આરએસએસ આસામની ભાષા, સંસ્કૃતિ, અને ઇતિહાસનો નાશ કરવા માંગે છે. ભાજપ અને સંઘ આસામના નાગપુરથી સત્તા ચલાવા માંગે છે. પરંતુ કોંગ્રેસ અને આસામની પ્રજા તેમને આવુ કરવાની પરવાનગી આપતી નથી. આસામમાં અહિંના લોકોનું શાસન હશે.
મુખ્યમંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા
આસામમાં સતત થઇ ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરતાં કહ્યું કે, મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમા દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે. તેઓ જ્યારે તમારી સાથે વાત કરે છે, ત્યારે તમારી જમીન ચોરી લે છે. જ્યારે તમે સોપારી ખાઓ છો, તો તે સોપારી બિઝનેસ પર કબ્જો કરી લે છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, સીએમ સરમાએ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ જમીન લીધી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત મણિપુરથી થઇ છે. પ્રવાસના 11માં દિવસે આસામના બારપેટામાં છે. 6200 કિલોમીટરનો આ પ્રવાસમાં રાહુલ સહિત કોંગ્રેસી નેતાઓ 14 રાજ્યોનો પ્રવાસ કરશે.