દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને તબીબી આધાર પર સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધીના વચગાળાના શરતી જામીન આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધીના વચગાળાના શરતી જામીન આપ્યા પોલીસ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે
- Advertisement -
રાજસ્થાનની જોધપુર જેલમાં સજા કાપી રહેલા આસારામનો જામીન પર છુટકારો થયા પછી અમદાવાદના મોટેરા આશ્રમમાં 12 વર્ષ પછી તે પાછો ફર્યો હતો. જામીનમાં શરત છે કે, આસારામ પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં. તેમ છતાં તેના સાધકોને જાણ થતા તેઓ આશ્રમમાં પહોંચવા લાગ્યા હતા. આશ્રમ પર સ્થિતિ ન બગડે તે માટે થઇને પોલીસ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે.
આસારામનો જામીન પર છુટકારો
સુપ્રીમ કોર્ટ દ્વારા આસારામને જામીન મળતા તે જોધપુર જેલમાંથી બહાર આવી ગુજરાત પહોંચ્યો હતો. હાલમાં તે અમદાવાદના સાબરમતી ખાતે આવેલા તેના આશ્રમમાં પહોંચ્યો છે.
- Advertisement -
આસારામ પર પોલીસની નજર
મળતી માહિતી પ્રમાણે, આસારામને જ્યારે જામીન મળ્યા ત્યારે તેના અમદાવાદ આવવાની અટકળો વધી ગઇ હતી. તેમાં પણ ખાસ કરીને આસારામ આશ્રમમાં અગાઉ અનેક વિવાદ જેમ કે, દીપેશ-અભિષેકના અપમૃત્યુ કેસ, ત્યારબાદ દુષ્કર્મ જેવા બનાવોની ફરિયાદ અને ત્યારબાદ આસારામ આશ્રમ તેના સાધકોના કારણે વિવાદમાં રહી ચૂક્યો છે. વચગાળાના મળેલા જામીન દરમિયાન આસારામ કોઈ નવો વિવાદ ન ઉભો કરે તે માટે થઈને ચાંદખેડા પોલીસની ટીમ સતત રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે.
આસારામને શરતી જામીન મળ્યા
ન્યૂઝ એજન્સી ANI મુજબ, સુપ્રીમ કોર્ટે 2013ના બળાત્કાર કેસમાં આસારામ બાપુને તબીબી આધાર પર વચગાળાના જામીન આપતા સમયે કેટલીક શરતો મૂકી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે, આસારામ પુરાવા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરશે નહીં અને વચગાળાના જામીન પર છૂટ્યા બાદ પોતાના અનુયાયીઓને મળશે નહીં.
પાલનપુરમાં પણ અનુયાયીઓને મળ્યો હતો
બનાસકાંઠામાં આસારામે શરતી જામીનનો ભંગ કર્યો હતો. જેમાં કોર્ટના આદેશની અવગણના કરી મેળાવડા ચાલી રહ્યા છે. તેમાં પેરોલ પર છૂટ્યા બાદ આસારામ પહેલીવાર પાલનપુરમાં દેખાયો હતો. જેમાં મહેશ્વરી હોલ ખાતે આસારામ અનુયાયીઓને મળ્યો હતો. તેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓને ભેગા કરી સત્સંગ યોજ્યો હતો. આસારામ અંગરક્ષકો અને કાફલા સાથે પાલનપુર પહોંચ્યો હતો.