સૌરાષ્ટ્રમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાની તડામાર તૈયારીઓ
જૂનાગઢ, તોરણીયા નકલંક ધામ સાથે મજેવડી દેવતણખી ધામમાં ઉજવણી
- Advertisement -
સોરઠવાસીઓમાં 113મી રથયાત્રા નિમિત્તે ભાવિકોમાં અનેરો ઉત્સાહ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
સમગ્ર રાજ્ય ની સાથે સૌરાષ્ટ્રમાં ભગવાન જગન્નાથજીની 113મી રથયાત્રા પ્રસંગે ધર્મપ્રેમી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આગામી તા.7 જુલાઈ રવિવારે અષાઢીબીજના દિવસે સોરઠ પંથકમાં રથયાત્રા સાથે પરબધામ ખાતે પૂ.કરશનદાસ બાપુની નિશ્રામાં અનેક ધાર્મિક કાર્યક્રમ સાથે અષાઢીબીજનો મેળો યોજાશે તેની સાથે હજારો ભાવિકો માટે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.જયારે તોરણીયા નકલંક ધામના મહંત રાજેન્દ્રદાસબાપુની નિશ્રામાં અષાડીબીજની ઉજવણી કરવામાં આવશે તેની સાથે મજેવડી ગામ ખાતે આવેલ દેવતણખી ધામ ખાતે પણ અષાઢીબીજની ધામધૂમ પૂર્વક ઉજવણી થશે તેમજ જૂનાગઢ ગંધ્રપવાડા વિસ્તારમાં આવેલ જગન્નાથજીના મંદિર ખાતેથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને રથયાત્રા શહેરના રાજમાર્ગો ફરશે સમગ્ર સોંરાષ્ટ્રંમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને ધાર્મિક પ્રસંગે આયોજક દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરી લીધે છે. ભેંસાણ નજીક આવેલા સુપ્રસિદ્ધ તિર્થક્ષેત્ર પરબધામ ખાતે આગામી તા.7મીએ પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે કરતાં આ વર્ષે ધારણાથી પણ વધુ જનમેદની ઉમટે તેવું જણાઈ રહ્યું છે. આ ધાર્મિક મહોત્સવનાં આયોજન માટે તડામાર તૈયારીઓ તૈયારીઓ પૂર્ણતાને આરે છે.
પરબધામનાં મહંત કરશનદાસ બાપુ ગુરૂ સેવાદાસ બાપુના સાંનિધ્યમાં યોજાઈ રહેલા અષાઢી બીજ મહામહોત્સવ અંતર્ગત તા.7 જુલાઈના સવારે 7:30 વાગ્યે પૂ.બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે. જોકે માનવ મહેરામણ તો તા.6 થી જ આવવાનો શરૂ થઈ જશે. સવારે પૂજન-અર્ચન, યજ્ઞ સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાશે.ભોજન પ્રસાદ માટે 500 બાય 50 ફૂટના મહાકાય પાંચ રસોડામાં રસોઈ તૈયાર કરવામાં આવે છે. 3000 કાઉન્ટર મુકાયા છે. એક પગંતે 1 લાખ લોકો બેસીને પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાદ્ય-સામગ્રી લાવવા-લઈ જવા માટે 100 ટ્રેક્ટરનો ઉપયોગ થશે પ્રસાદમાં શુદ્ધ ધીનો શીરો, રોટલી, શાક, ગાંઠિયા, દાળ- ભાત, સંભારો પીરસવામાં આવશે. સ્વયંભુ યોજાતા આ લોકમેળામાં આવતા બાળભાવિકોને ધર્મની સાથે મનોરંજન મળી રહે તે માટે અવનવી રાઈડસ પણ પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આવી ચૂકી છે. આ વખતે નવી રાઈડસ પણ જોવા મળશે.પરબધામ ખાતે યોજાનાર લોકમેળા માટે સરકારી અધિકારીઓ પણ મહોત્સવમાં ખડે પગે મામલતદાર આઈ.આર. પારગી, પીએસઆઈ એસ.એન. .કાતરીયા, વીજ ઈજનેર ડી.એમ.ચોચા સહિતના અધિકારીઓ ઉપરાંત જિલ્લા પોલીસ વહિવટી દ્રારા પોલસી તેમજ મહિલા પોલસી તેમજ જી.આર.ડીના જવાનો ખડે પગે ફરજ બજાવશે. આ મહોત્સવમાં આવનાર ભાવિકોને કંઈ તકલીફ ન પડે તેની તકેદારીના ભાગરૂપે સુસજ્જ આયોજન કરી રહ્યા છે.
- Advertisement -