બજેટ સમાપ્ત થયા પછી તરત જ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરોડો રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર આપ્યા
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે 23 જુલાઈના રોજ સંસદમાં મોદી સરકાર 3.0 નું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. બજેટની રજૂઆત દરમિયાન દેશની જનતાની નજર રેલવેને લગતી જાહેરાતો પર પણ ટકેલી હતી. જોકે આ સમગ્ર સામાન્ય બજેટ દરમિયાન રેલવે શબ્દનો માત્ર એક જ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ બજેટ સમાપ્ત થયા પછી તરત જ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરોડો રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર આપ્યા છે.
મધ્યમ વર્ગના પરિવાર માટે 2500 નોન એસી કોચ
- Advertisement -
રેલવે મંત્રીએ મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ખુશખબર આપતા કહ્યું છે કે, ભારતીય રેલવે હાલમાં 2500 નોન-એસી કોચ બનાવી રહી છે. આ સાથે આગામી 3 વર્ષમાં 10 હજાર વધારાના નોન-એસી કોચ બનાવવામાં આવશે. ભારતીય રેલ્વેનો ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતા અને મધ્યમ વર્ગના પરિવારોને પોસાય તેવા ભાવે સુરક્ષિત રીતે મુસાફરી કરવા સક્ષમ બનાવવાનો છે.
નોન-એસી મુસાફરીની માંગ વધી
ભારતીય રેલ્વેએ છેલ્લા કેટલાક વર્ષોમાં વંદે ભારત ટ્રેનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતીય રેલવે દ્વારા એક પછી એક નવી વંદે ભારત ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. આ મુદ્દે જ્યારે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને પૂછવામાં આવ્યું કે, શું ભારતીય રેલ્વેનું ધ્યાન માત્ર વંદે ભારત અને ફ્લેગશિપ ટ્રેનો પર રહેશે, ગરીબો માટેની ટ્રેનો પર નહીં. પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રીએ કહ્યું કે, અમારી પાસે મોટી ઓછી આવક ધરાવતું જૂથ છે અને અમે તે જૂથને સંબોધિત કરી રહ્યા છીએ.
- Advertisement -
આ સાથે રેલમંત્રીએ કહ્યું કે, હાલમાં વધુને વધુ લોકો નોન એસી મુસાફરી સેવાઓની માંગ કરી રહ્યા છે. તેથી ભારતીય રેલ્વેએ એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. અમે 2500 નોન-એસી કોચ બનાવી રહ્યા છીએ. આગામી 3 વર્ષમાં અમે નિયમિત ઉત્પાદન સમયપત્રક ઉપરાંત વધારાના 10000 નોન-એસી કોચનું ઉત્પાદન કરીશું.