ઉધમપુર જિલ્લાના ડુડુ બસંતગઢ હાઇટ્સમાં શંકાસ્પદ જૈશ-એ-મોહમ્મદ (JeM) ના આતંકવાદીઓ સાથે ભીષણ ગોળીબાર દરમિયાન ભારતીય સેનાના એક સૈનિકે દુ:ખદ રીતે પોતાનો જીવ ગુમાવ્યો હતો
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં શુક્રવારે મોડી રાતથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે જોરદાર અથડામણની સ્થિતિ સર્જાઈ છે. માહિતી અનુસાર બસંતગઢના પહાડોમાં જૈશના ત્રણથી ચાર આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. આ દરમિયાન સામ-સામેથી ભારે ગોળીબાર ચાલુ છે. આ સૌની વચ્ચે એક સૈન્ય જવાન ઈજાગ્રસ્ત થયો હતો જે હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદ થઈ ગયો.
- Advertisement -
ભારતીય સૈન્યએ શું કહ્યું?
ભારતીય સૈન્યના જણાવ્યાનુસાર ગુપ્ત માહિતીના આધારે સૈન્ય, એસઓજી અને પોલીસે સંયુક્તરૂપે સોજધારના ચઢાણવાળા વિસ્તારોમાં અભિયાન હાથ ધર્યું હતું. જ્યાં આતંકીઓની હાજરી કન્ફર્મ થયા બાદ ગોળીબારની સ્થિતિ સર્જાઈ હતી. જમ્મુ-કાશ્મીરના ડીજીએ આ મામલે એક્સ પર એક પોસ્ટ કરી હતી જેમાં કહ્યું હતું કે કિશ્તવાડના સામાન્ય વિસ્તારમાં વ્હાઈટ નાઈટ કોરના સૈનિકો આતંકીઓ સાથે મોડી રાતથી બાથ ભીડી રહ્યા છે.
આ ઘટના જૂનમાં ટોચના JeM કમાન્ડર હૈદરને નાબૂદ કરવા અને એપ્રિલમાં અન્ય એક જીવલેણ એન્કાઉન્ટર સહિત પ્રદેશમાં સમાન સંઘર્ષોની શ્રેણીને અનુસરે છે. આ પ્રદેશમાંથી આતંકવાદને જડમૂળથી ખતમ કરવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા સત્તાવાળાઓ હાઈ એલર્ટ પર છે.