મ્યુચ્યુઅલ ફંડ નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની મંજિલ સુધી પહોંચાડે છે: મેહુલભાઈ રવાણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટમાં અરિહંત ઇન્વેસ્ટમેન્ટ અને ફ્રેન્કલીન ટેમ્પલટનના સંયુક્ત ઉપક્રમે વડીલ દંપતિઓ માટે “જમાના બદલ ગયા હૈ” વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૈન સોશ્યલ ગ્રુપ- રાજકોટ વેસ્ટના સર્વે હોદેદારો અને સભ્ય દંપતિએ રોકાણ અને મ્યુચુઅલ ફંડના પ્રત્યેક માળખાની સુયોગ્ય સમજ મેળવી હતી. જેમાં રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. શહેરની ઠાકર હોટેલ ખાતે આ સેમિનાર યોજાયો હતો. જ્યાં કાર્યક્રમના પ્રારંભે જૈન અગ્રણી,લેખક, વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એન્કર, વક્તા, સિંગર, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ-વેસ્ટના ઉપપ્રમુખ અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર મેહુલ મહેન્દ્રભાઈ રવાણીએ જણાવ્યું હતું કે, આજના યુગમાં નાણાકીય સ્વતંત્રતા અને સપનાઓને સાકાર કરવુ એ દરેકનું મહત્વપૂર્ણ લક્ષ્ય બની ગયું છે. આ માટે અનેક માર્ગો છે, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ એક એવું માધ્યમ છે, જે સરળતાથી અને અસરકારક રીતે લોકોને તેમની નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની મંજિલ સુધી પહોંચાડે છે. આ તકે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, આજના સમયમાં ફક્ત બચત પૂરતી નથી રહેતી, મૂડીના વૃદ્ધિ માટે રોકાણ અનિવાર્ય છે. રોકાણ આપણને ફક્ત પૈસા બચાવવા નહિ પણ તેને વૃદ્ધિ આપવા અને નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવા મદદ કરે છે.
- Advertisement -
મ્યુચ્યુઅલ ફંડ અંગેનું બહોળું જ્ઞાન ધરાવતા કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રશાંત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં લોકોના રોકાણ માટે અનેક વિકલ્પોનો ઉપયોગ કરે છે. જેમ કે, એફડી, ગોલ્ડ, પ્રોપર્ટી, શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ. દરેક વિકલ્પની પોતાની વિશિષ્ટતાઓ છે, પણ જો સ્થિરતા, વોલેટાલિટી અને વ્યાવસાયિક વ્યવસ્થાપનની વાત કરીએ, તો મ્યુચ્યુઅલ ફંડ મોટાભાગના પાસાઓમાં આગળ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શેરબજારમાં રોકાણ કરવું એ ફેશન બની ગઈ છે. લોકો ટીપ્સ પર વિશ્વાસ કરીને, યૂટ્યુબ વીડિયોમાં જોઈને સ્ટોક ખરીદે છે. પરંતુ નાણાકીય સમૃદ્ધિ પ્રાપ્ત કરવા એસ.આઈ.પી. ખૂબ જ જરૂરી છે અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો સાચી માર્ગદર્શન ખુબ જ જરૂરી છે. અરિહંત ઇન્વેસ્ટમેન્ટ તમારી જરૂરિયાત અને લક્ષ્ય પ્રમાણે યોગ્ય ફંડ પસંદ કરાવવામાં તમને મદદ કરે છે. મેહુલ રવાણી મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે અનુભવી અને વિશ્વસનીય નામ છે.
આ પરિસંવાદમાં લાંબા ગાળે રોકાણ કરી કઇ રીતે સપત્તિનું સર્જન કરી શકાય છે, રોકાણ કરતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું જેમ કે બાળકોનું ભણતર, લગ્ન, વેકેશન, રીટાયરમેન્ટ વિગેરે જેવી ભવિષ્યની બાબતોનું આજથી કઇ રીતે નાણાકીય આયોજન કરવુ અને નાના રોકાણકારો પણ મ્યુચ્યઅલ ફંડ કઇ રીતે રોકાણ કરી શકે છે એ બાબતે વિસ્તાર પૂર્વક માહિતી અને માર્ગદર્શન પ્રશ્નોતરી દ્વારા કરવામાં આવી હતી. આ સેમિનારમાં ફ્રેન્કલીન ટેમ્પલટનના ચેતન મહેતાનો વિશેષ સહયોગ મળ્યો હતો. આ ઇવેન્ટને સફળ બનાવવામાં વત્સલ રવાણી, રાધિકા આડેસરા, પ્રાચી શર્મા, દેવાંગ સાટીયા અને કિશનભાઇ સિધ્ધપુરા સહિતના અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ટીમ મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી. વધુ માહિતી માટે સંપર્ક 9825882579, 0281-2226878.