By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધથી તબાહ ગાઝાને સ્માર્ટ સિટીમાં ફેરવવાની અમેરિકાની મહાયોજના ₹9.3 લાખ કરોડનું ‘પ્રોજેક્ટ સનરાઇઝ’
    3 minutes ago
    વિન્સ ઝમ્પેલા કોણ હતા? – કેલિફોર્નિયામાં ફરારી ક્રેશમાં ગેમિંગ લિજેન્ડનું મોત
    4 hours ago
    મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી સામે ચેતવણી આપે છે કારણ કે વિઝામાં વિલંબ વધી રહ્યો છે
    4 hours ago
    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક સમજૂતી થતા, કૃષિ તથા અન્ય ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ફાયદો
    1 day ago
    મોરબીનો યુવક રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાતા વીડિયો શેર કરી કહ્યું,-“હું નિરાશાહીન અનુભવું છું’
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી: હવે શૂન્ય ડ્યુટી સાથે થશે બિઝનેસ
    1 hour ago
    વાહનોનું જંગલ! મુંબઇમાં કારની સંખ્યા 15 લાખને પાર; પ્રતિ કિમી 753 મોટર
    1 hour ago
    ગિફ્ટ સિટીમાં ‘છૂટથી દારૂ પીવાની ગિફ્ટ’
    1 hour ago
    દિલ્હીમાં ટઇંઙનો બાંગ્લાદેશ હાઈ કમિશનને ઘેરાવ-વિરોધ
    1 hour ago
    કોઈ ટાવર્સની જરૂર નથી? ISRO નું બ્લુબર્ડ બ્લોક-2 મિશન મોબાઇલ કનેક્ટિવિટીને કેવી રીતે બદલી શકે છે
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    U19 એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે પછી BCCI ટીમ મેનેજમેન્ટ પાસેથી ખુલાસો માંગશે
    4 hours ago
    લિયોનેલ મેસીને તેના GOAT ટુર ઓફ ઈન્ડિયા માટે કેટલી ફી ચૂકવાઈ હતી, જાણો સંપૂર્ણ માહિતી
    1 day ago
    રહિત શર્માનું સંન્યાસ અંગે દર્દ છલકાયું કહ્યું,-“હું સંપૂર્ણપણે પડી ભાંગ્યો હતો…”
    1 day ago
    T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાતમાં સુર્યકુમાર કેપ્ટન, અક્ષર પટેલ વાઇસ કેપ્ટન
    3 days ago
    સુર્યકુમાર યાદવનું મોટું નિવેદન: ‘ખોવાઈ ગયો છે પણ કમબેક મજબૂત હશે..’
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    5 days ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 week ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 weeks ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 weeks ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિશ્ર્વ પ્રસિદ્ધ જગત મંદિરનાં સ્વર્ગદ્વાર શારદા મઠની જગ્યામાં પુરાતત્વ સરવે શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > વિશ્ર્વ પ્રસિદ્ધ જગત મંદિરનાં સ્વર્ગદ્વાર શારદા મઠની જગ્યામાં પુરાતત્વ સરવે શરૂ
ગુજરાત

વિશ્ર્વ પ્રસિદ્ધ જગત મંદિરનાં સ્વર્ગદ્વાર શારદા મઠની જગ્યામાં પુરાતત્વ સરવે શરૂ

Khaskhabar Editor
Last updated: 2025/11/28 at 4:57 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
5 Min Read
SHARE

સમુદ્રમાં ડૂબેલી દ્વારકાના અવશેષોની અન્ડર વોટર આર્કિયોલોજી વિંગ શોધખોળ કરશે

ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા, તા.28
યાત્રાધામ દ્વારકાના પૌરાણિક દ્વારકાધિશ મંદિર નજીક પુરાતત્વ વિભાગ દ્વારા ગુરુવારથી સર્વેક્ષણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પુરાતત્વ વિભાગનાં અધિક મહાનિર્દેશ આલોક ત્રિપાઠીના નેતૃત્વમાં આર્કિયોલોજી વિભાગની ટીમ દ્વારા જગત મંદિર અને ગોમતી નદી વચ્ચેના શારદા મઠની જગ્યામાં સર્વેક્ષણની કામગીરીનો પ્રારંભ કરાયો છે.

- Advertisement -

પૌરાણિક માન્યતા અનુસાર દ્વારકાધીશ મંદિર આશરે પાંચ હજાર વર્ષ પહેલા દ્વારકાધીશના પ્રપૌત્ર પઘુમનજી દ્વારા બનાવાયેલ જગતમંદિર અતિ પૌરાણિક હોય જેની દેખરેખ અને જાળવણી પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ પહેલા વખતો-વખત સમુદ્રમાં ડૂબેલી દ્વારકા તથા અન્ય પ્રાચીન ચીજવસ્તુઓની શોધખોળ માટે સર્વે કામગીરી કરાઈ છે. ત્યારે આજે પુરાતત્વ વિભાગ દ્વારા જૂની દ્વારકાના દટાયેલા મહત્વપૂર્ણ અવશેષોની શોધખોળ માટે જગતમંદિરના છપ્પન સીડી પાસેના શારદામઠની જગ્યામાં ખોદકામ કરવાની કામગીરીનો પ્રારંભકર્યો છે. આ માટે સ્થળ પર પૂજન કર્યા બાદ ખોદકામની કામગીરી એએસઆઈના અધિક મહાનિર્દેશકના નેતૃત્વમાં દેશભરમાંથી આવેલ પુરાતત્વવિદ્દો દ્વારા કરવામાં આવશે. જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. આ ઉપરાંત સમુદ્રમાં ડૂબી ગયેલ દ્વારકાના અવશેષોની શોધખોળ માટે ભારતીય પુરાતત્વ વિભાગની અન્ડર વોટર આર્કિયોલોજી વિંગ દ્વારા પણ કામગીરી કરાશે. પુરાતત્વ વિભાગનાં અધિક મહાનિર્દેશના જણાવ્યા મુજબ દ્વારકા નગરનું જેટલુ ધાર્મિક મહત્વ છે, તેટલુ જ ઐતિહાસિક અને પુરાતત્વીય મહત્વ રહેલુ છે. જેની પ્રાચીનતા જાણવા સાહિતય અને પુરાતત્વ આધાર પર 100 વર્ષ ઉપરાંતથી વિદ્વાનો દ્વારા પ્રયાસો ચાલી રહ્યા છે. 2005થી 2007 દરમિયાન કરેલ સર્વેક્ષણની મર્યાદિત કક્ષામાં કામગીરી કરવામાં આવેલ. જેમાથી મળેલ પરિણામો આધારે અહીંની પ્રાચીનતાને સિધ્ધ કરવા વધુ પ્રયત્નોની જરૂરિયાત હોય થોડા સર્વે થયેલ કામગીરી બાદ ભારત સરકાર દ્વારા વિશેષ પરિયોજના હેતુ આજેપૂન: સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીંની પ્રાચીનતા તથા દ્વારકા તથા બેટ દ્વારકાના સમુદ્રમાં રહેલા પૌરાણિક અવશેષોની વિસ્તૃત શોધખોળ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. વૈજ્ઞાનિક અને એકેડેમિક એકટીવિટીમાં પુરાતત્વ વિભાગના પટના, નાગપુર, દક્ષિણ ભારત સહિત દેશભરમાંથી આવેલ પુરાતત્વવિદો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પહેલા પણ જગતમંઘીરના મોક્ષ દ્વાર નજીક ખોદકામની કામગીરી કરવામાં આવેલ. પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરેલ ઉત્ખનનની કામગીરીમાં મળતા અવશેષો આધારે આવનારા દિવસોમાં પણ કામગીરી યથાવત રહેશે. મુળ રૂપે અન્ડરવોટર વિંગની ટીમ દ્વારા રાજકોટ વિભાગ તથા કેન્દ્રીય પુરાતત્વ વિભાગના સહકારથી કામગીરી હાથ ધરવામાં આવશે.

2023માં પણ જિર્ણોધ્ધાર અંગે નિરીક્ષણ કરાયું હતું
આ પહેલા વર્ષ 2023મા પણ ભારતના પ્રમુખ તીર્થક્ષેત્ર દ્વારકાધીશ મંદિરના શિખરના વિવિધ ભાગમાં તિરાડો પડી રહી હોવા અંગે અને સાત મજલાના જગતમંદિરના શિખરને હવામાનની સીધી અસર તથા હજારો વર્ષ જૂના પથ્થરોમાં મોટા ગાબડા પડયાના વિવિધ સમાચાર માધ્યોના અહેવાલ બાદ પુરાતત્ત્વ વિભાગના મુંબઈ રીજનલ કચેરી તથા બરોડા અને રાજકોટ કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનીય પુરાતત્વ કચેરી સાથે મંદિરના જિણર્ણોધ્ધાર ચર્ચા કરી મંદિર શિખરનું નિરીક્ષણ કર્યુ હતુ.

અજાયબ દ્વારકા મંદિરની વિશેષતા 150 ફૂટનું શિખર, સાત માળ, 56 સિડી, એક જ શિલામાંથી કોતરેલા 72 સ્તંભ

- Advertisement -

ગોમતી નદીની ઉત્તરે સમુદ્રની સપાટીથી 70 ફૂટની ઊંચાઈએ પશ્ચિમાભિમુખ મંદિર જમીન સપાટીથી લગભગ 150 ફૂટ ઊંચુ મુખ્ય શિખર ધરાવે છે. જયાં બાવન ગજની ધ્વજા લહેરાય છે. આક્રમણકારો દ્વારા ખંડિત થયા પછી 15મી સદીમા આ મંદિર પુન: નિર્માણ થયુ હોવાનું મનાય છે. હાલનું મંદિર 1200 વર્ષ જૂનું છે. હિન્દુઓના ચાર પવિત્ર યાત્રાધામ, સાત પુરી, 68 તીર્થ પૈકિનું આ મંદિર ભાવિકોનું શ્રધ્ધા કેન્દ્ર છે. હાલનું દ્રશ્યમાન દ્વારકાધીશજીનું જગતમંદિર સાત માળનું છે. તે સમુદ્રની સપાટીથી 45 ફૂટ ઊંચે છે. ત્યાં પહોંચવા માટે છપ્પન સીડી ચડવી પડે છે. મંદિરના ચોગાનથી સુવર્ણ કળશ સુધીની ઊંચાઈ 129 ફૂટ છે. આ મંદિર વિમાનગૃહ, ભદ્રપીઠ, લાડવા મંડપ અને અર્ધ મંડપ એમ ચાર વિભાગમાં વહેચાયેલુ છે.
મંદિરની પૂર્વ -પશ્ચિમ લંબાઈ 88 ફૂટ છે. ઉત્તર-દક્ષિણ પહોળાઈ 70 ફૂટ છે. એક જ શિલામાંથી કોતરેલા 72 સ્તંભો ઉપર આ મંદિરની ઈમારત ઉભી છે. મંદિર ઉપરનો ધ્વજ સ્તંભ 25 ફૂટનો છે. તેની ઉપર 20 ફૂટના ધ્વજ દંડમાં બાવન ગજની કાપડની સૂર્ય-ચંદ્રના નિશાનવાળી સફેદ-પચરંગી ધ્વજા દ્વારકાના નલરંગી આકાશમાં લહેરાય છે. જયારે લાડવા મંડપ કે ભા મંડપ 15-16મી સદીમાં બંધાયેલ છે.
આ મંદિરમાં પશુદેહવાળી માનવ મુખી, પરી, પાંચવાળા હાથી વગેરે વિદેશી શિલ્પો છે. આ મંદિરમાં મત્સ્ય, નૃસિંહ, વરાહ, પરશુરામ, લક્ષ્મીનારાયણ વગેરે અવતારોની મૂર્તિઓ કોતરાયેલી છે. નિજ મંદિરનું શિલ્પ વિવિધ સંસ્કૃતિને ઉદઘાટિત કરતુ હોવાથી જગતમંદિર તરીકે પ્રખ્યાત બન્યુ છે. મંદિરના ઉત્તર તરફના દરવાજાઓ મોક્ષહાર અને ગોમતી નદી તરફથી છપ્પન પગથીયા દ્વારા પ્રવેશ થાય છે તે સ્વર્ગદ્વાર કહેવાય છે.

 

You Might Also Like

રાજકોટની દીકરીઓએ વિજ્ઞાન મેળામાં ગજવ્યું મેદાન: ” ઙહફતશિંભ” પ્રોજેક્ટ દ્વારા પર્યાવરણ સુરક્ષાનો નવો રાહ ચીંધ્યો

રાજકોટ-ગોંડલ હાઈવે પર નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી, જાનહાનિ ટળી

ભારતીય રાજનીતિના અજાતશત્રુ અને શિખર પુરુષ અટલ બિહારી વાજપેયી

ઉપલેટાના યુવકે નિકાહ કર્યાના 20મા દિવસે જ ગેંગ રોકડ-દાગીના લઇ રફૂચક્કર

ઉપલેટાના ખાખીજાળીયામાં ફાર્મ હાઉસમાં ધમધમતા જુગારધામ ઉપર જખઈનો દરોડો

TAGGED: Sharda Math
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લાખાબાવળ-પિપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેક કાર્યના કારણે 45 દિવસ સુધી રેલ વ્યવહારને અસર
Next Article રાજકોટ હોસ્ટેલમાં રહેતી ધો.11 સાયન્સની છાત્રાનો આપઘાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટની દીકરીઓએ વિજ્ઞાન મેળામાં ગજવ્યું મેદાન: ” ઙહફતશિંભ” પ્રોજેક્ટ દ્વારા પર્યાવરણ સુરક્ષાનો નવો રાહ ચીંધ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
યુદ્ધથી તબાહ ગાઝાને સ્માર્ટ સિટીમાં ફેરવવાની અમેરિકાની મહાયોજના ₹9.3 લાખ કરોડનું ‘પ્રોજેક્ટ સનરાઇઝ’
રાજકોટ-ગોંડલ હાઈવે પર નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી, જાનહાનિ ટળી
ભારતીય રાજનીતિના અજાતશત્રુ અને શિખર પુરુષ અટલ બિહારી વાજપેયી
ઉપલેટાના યુવકે નિકાહ કર્યાના 20મા દિવસે જ ગેંગ રોકડ-દાગીના લઇ રફૂચક્કર
ઉપલેટાના ખાખીજાળીયામાં ફાર્મ હાઉસમાં ધમધમતા જુગારધામ ઉપર જખઈનો દરોડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટની દીકરીઓએ વિજ્ઞાન મેળામાં ગજવ્યું મેદાન: ” ઙહફતશિંભ” પ્રોજેક્ટ દ્વારા પર્યાવરણ સુરક્ષાનો નવો રાહ ચીંધ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

રાજકોટ-ગોંડલ હાઈવે પર નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી, જાનહાનિ ટળી

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
રાજકોટ

ભારતીય રાજનીતિના અજાતશત્રુ અને શિખર પુરુષ અટલ બિહારી વાજપેયી

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?