ખાસ-ખબર ન્યૂઝ અરવલ્લી
સાઠંબા નગર અને પટેલના મુવાડા ગામ વચ્ચે પંચદેવી મંદિર પાસે ધામણી નદી પર આવેલો વર્ષો જુનો પુલ ભારે વરસાદમાં તુટી જતાં બે ગામ વચ્ચેનો સંપર્ક તુટી જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાઠંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં પંચદેવી મંદિર નજીક પટેલના મુવાડા, ઈન્દ્રાણ, મુડીયા, બોરડી, વિજયગંજ જેવા ગામોના લોકોને સીધા સાઠંબા બજારમાં આવવા માટે આ ધામણી નદી પર આવેલા વર્ષો જુના પુલ પર થઈને સરળતા રહેતી હતી. હાલ સાઠંબા અને પટેલના મુવાડા વચ્ચે આ પુલ તૂટી ગયો હોવા છતાં લોકો જીવના જોખમે અહીંથી પસાર થવાની કોશિશ કરી રહ્યા છે.
- Advertisement -
આ પુલ જોખમી રીતે તૂટી ગયો હોવા છતાં લોકો જોખમી રીતે અવરજવર કરી રહ્યા છે ક્યારેક જાનમાલનું નુકસાન થશે કે કોઈની જાનહાની થવાની શક્યતાઓ રહેલી છે. આ પુલ તૂટી ગયો હોવા છતાં હજુ સુધી તંત્ર અનિચ્છનીય બનાવ બને તેની રાહ જોઈ રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે….!